________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
કેવાં સીધાં ચઢાણ મનનાં ! પણ એ મનનો વિજય કરી શકાય છે. એકાગ્રતા. સાધકની ચેતના એક શુભ યોગમાં ડૂબી. વિકલ્પો ક્યાં છે હવે?
શુભનો વેગ એવો જોરદાર જોઈએ કે એ શુભની તીવ્રતા જ શુદ્ધને અપાવનાર બની રહે.
શુભની તીવ્રતા બે રીતે કામ કરશે : અશુભને પ્રવેશવા નહિ દે. અને શુદ્ધ તરફ ગતિ કરાવશે.
વીજળીક પંખો ફરતો હોય છે ફુલ સ્પીડમાં, ત્યારે તેના બે પાંખિયા વચ્ચે હાથ નાખી શકાય ?
ના. કારણ કે ગતિ ખૂબ જ છે. આ જ રીતે શુભનો વેગ અસાધારણ હોય તો અશુભનો પ્રવેશ નહિ થાય... અને શુભની જ એ તીવ્રતા શુદ્ધમાં પરિણમશે.
વિકલ્પો- જે અશુભ તરફ જઈ રહ્યા છે. ને દૂર કરવા માટે મહર્ષિ પતંજલિએ બે તત્ત્વોની આવશ્યકતા બતાવી : અભ્યાસ અને વૈરાગ્ય.'
વૈરાગ્ય. પરની તીવ્ર અનાસ્થા. શો મતલબ વિકલ્પોનો? પરમાં જવાથી પીડા સિવાય બીજું શું મળ્યું?
અભ્યાસ. સ્વાધ્યાય, જપ, પ્રભુભક્તિ આદિ યોગોને ઘુંટવાનો. અનાદિના પરના અભ્યાસની સામે આ પ્રતિઅભ્યાસ.
શુભને ઘુંટવાથી શુદ્ધમાં જવાનું થાય.
૨. અગાવૈરાયાખ્યાં તનિરોધઃ | યોગસૂત્ર (૧-૨)
૧૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org