________________
ધ્યાન અને કાયોત્સર્ગ - ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
પર બેસતો. આજે સારું થયું કે હું એના પર બેઠો નહોતો. નહિતર, હું જ ખોવાઈ જાત ને !
આપણું હોવું - અસ્તિત્વ ખરેખર ખોવાઈ જ ગયું છે ને ! રમણીક સોમેશ્વર એક કાવ્યમાં લખે છે : અમે તણખલા માથે તોળ્યું,
આખેઆખું “હોવું” હો જી, ઓળઘોળ કીધું મૃગજળને માથે
સઘળું “જો હો જી... તૃણ જેવી નિરર્થક વસ્તુઓ મેળવવામાં હોવું પૂરું થઈ જાય. અને મૃગજળને જોવામાં જોવું પૂરું થઈ જાય !
જે અસ્તિત્વ - સ્વબોધ સાધકને સમ્રાટ બનાવી શકે, એ અસ્તિત્વહોવું કેવું તો ભવ્ય છે! - સ્વામી રામતીર્થ હિમાલયમાં હતા. કો'ક વિદેશીએ પૂછ્યું : આટલી ઓછી સામગ્રીએ તમે કઈ રીતે રહો છો ? સ્વામી રામ કહે છે : હમ બાદશાહ હૈ !
પ્રશ્નકર્તા અભિભૂત બન્યો. એ કહે : તમારી પાસે છે તો માત્ર લંગોટી જ ! સ્વામી રામ કહે ઈતની તો બાદશાહત મેં કમી હૈ ! વર્ના પૂરે સમ્રાટ હો જાતે!
મનમાંથી સ્પૃહા ગઈ; મજા જ મજા ! પૂજ્યપાદ આનંદઘનજી યાદ આવે : “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.'
અંગ્રેજ કવિ જીરાલ્ડ હોપકિન્સ કહે છે : Oh the mind, mind has mountains.
૧૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org