SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જાગૃત થઈ સાધકને વિચલિત કરી શકે છે. માટે માત્ર શમનથી સંતોષ ન માનતાં તેનું “શલ્ય” પણ ખેંચી કાઢી તેનું ઉત્સર્જન - વિરેચન કરવાનું જરૂરી છે. પાપકર્મનિર્ધાતન અશુભ યોગ દ્વારા કર્મ ઉપાર્જન થયું જ હોય. એ કર્મનું પણ ઉત્સર્જન કરવાનું છે. નોંધનીય છે કે કર્મનાશનો હેતુ છેક છેલ્લે આવે છે. પ્રથમના ચાર હેતુ તો પ્રવર્તમાન ક્ષણે ઉદ્ભવેલા ક્ષોભ-માલિન્ય-અનુબંધના ઉત્સર્જન - પર કેન્દ્રિત છે. પ્રથમના તબક્કા જો સાધ્ય ન થાય તો કર્મનિર્ધાતનનું કાર્ય થવાની આશા રાખી શકાય નહિ. ચિત્તમાં ક્ષોભ જન્માવતી પ્રત્યેક પ્રવૃત્તિ પછી કાયોત્સર્ગ કરવાનું વિધાન શાસ્ત્રો કરે છે, તેની પાછળ માત્ર કર્મનિર્જરા નહિ પણ ઉપયોગની શુદ્ધતાના પુનઃસ્થાપનનો હેતુ પણ છે. કાયોત્સર્ગની સાધનાનાં ભીતરી સૂત્રો જ્યારે ગુરુગમથી નૂતન સાધનાપથિકોને મળતા હશે ને પગલે પગલે પંથ ખૂલતો હશે ત્યારે અનુભૂતિનો આસ્વાદ અને આહલાદ એ સાધકોને ભીતરથી ભરી દેતો હશે. એ મસ્તીમાંથી જ આવાં ગીત સ્ફરતાં હશેઃ અબ હમ અમર ભયે ન મરેંગે! નમસ્કાર મંત્ર કે લોગસ્સ સૂત્રના સ્મરણમાત્રથી કર્મક્ષય થઈ જાય એવી યાંત્રિકતા શાસ્ત્રોને અભિપ્રેત ન હોય. કર્મક્ષયનું પરિણામ પ્રગટે છે ઉપયોગની પ્રખર શુદ્ધિથી. જાગૃતિ - હોશ - શુદ્ધોપયોગમાં વિજાતીય તત્ત્વોને ચેતનામાંથી દૂર કરવાની શક્તિ છે. જેમ Electricityમાં પાણીના હાઈડ્રોજન - ઓક્સીજનને છૂટા પાડવાની શક્તિ છે, તેમ. દેહ - મનવચન-પુદ્ગલથી અને કષાય - કર્મ - ક્રિયાથી ભિન્નતાના બોધને પ્રજવલિત કરી સુદીર્ઘ સમય સુધી એ ભાવમાં થંભી જવાનું છે – ઠરવાનું છે. ઉપયોગને રાગાદિથી મુક્ત રાખવા માટે ઉપયોગ પર જ ઉપયોગ રાખવાનો છે. આ જ કયોત્સર્ગ છે. 14 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy