SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ જ ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ એકાગ્રચિત્તતા. આપણે અનેકાગ્ર છીએ. પરમપાવન આચારાંગ સૂત્ર કહે છે: “મળે વિજે રવ7 માં પુરિસે, સો વેરાનું રિહ પૂરફતણા રૂ ૨૨૨ા અનેક ચિત્તવાળો આ મનુષ્ય...ચાળણીને પાણીથી ભરવાનું કામ કરવા એ ધારે છે ! માર્કવેઈન એક ભાષણ કરી ઘર તરફ જઈ રહ્યા હતા. ગાડીમાં જોડે બેઠેલ મિત્રે કહ્યું તમારું ભાષણ બહુ સારું રહ્યું. માર્કઈને પૂછ્યું કયું ભાષણ? મિત્ર નવાઈમાં પડ્યો. મિત્ર કહે : વહેલી સવારથી હું તમારી સાથે છું. તમે એક જ તે ભાષણ આપ્યું છે આજે. તો કયા ભાષણની વાત ક્યાં આવી ? માર્કવેઈન કહે છે : મિત્ર મારા, એ જે ભાષણ આપ્યું એ પહેલાં મનમાં એક ભાષણ ચાલતું હતું, કઈ રીતે એકદમ પ્રભાવિત સભાને કરવી... ભાષણ પછી અત્યારે મનમાં ભાષણ ચાલે છે કે વાહ! સરસ ભાષણ ગયું. માર્કઈને તો સમયના ત્રણ ગાળાના ત્રણ ભાષણોની વાત કરી. આપણે તો એક સાથે કેટલી દિશામાં ચાલતા હોઈએ છીએ! આ અનેકચિત્તતાને એકચિત્તતામાં લાવવી છે. ધ્યાન અનાયાસની – અપ્રયાસની ભૂમિ છે. પણ ધ્યાનની પૂર્વે જાપ આદિમાં થોડોક પ્રયત્ન કરીને પણ એકાગ્રતા લાવી શકાય. જેમ કે, નવકાર મંત્રની માળા ગણતાં મન વિકલ્પોમાં સરી જાય છે તો એ માટે અનાનુપૂર્વીને ગણવાનું મહાપુરુષોએ આપણને કહ્યું : આડા અવળાં પદો હોવાથી મન તેમાં પકડાયેલું રહેશે. . એ જ રીતે, જાપ કરતી વખતે હાથમાં માળા ન રાખીએ. આંગળીના ઢિા પરની ગણતરી પણ નહિ. જાપ ચાલ્યા કરે અને ગણતરી પણ મનોમન ૧૩૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy