________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
ધ્યાનની બે વ્યાખ્યાઓ આગળ જોયેલી : ચિત્તની એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ.
અહીં ધ્યાન અને કાયોત્સર્ગનો ફરક સમજીએ. ધ્યાનમાં મનોગુપ્તિની સાધના છે. કાયોત્સર્ગમાં ત્રિગુપ્તિ સાધના છે.
અને એટલે જ, પરમ પાવન આચારાંગ સૂત્રમાં પ્રભુ મહાવીર દેવના વિહારને ધ્યાન કહેલ છે. એકાગ્રતા ઇર્યામાં છે ને ! મનનો ઉપયોગ તીક્ષ્ણતાથી ઇર્યાપાલનમાં હોઈ એ ક્રિયા ધ્યાન બની.
૧
કાયોત્સર્ગ ચાલતી વખતે નહિ હોઈ શકે. કારણ કે ત્યાં કાયગુપ્તિ - કાયાની સ્થિરતા જરૂરી છે.
એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ. આ ધ્યાનના બે સ્થિત્યન્તરો મનોગુપ્તિ જોડે સંબંધિત છે.
મનોગુપ્તિના બે પ્રકારો છે : શુભ રૂપ અને શુદ્ધ રૂપ. શુભ રૂપ મનોગુપ્તિ એટલે એક શુભયોગમાં તન્મયતાથી પરોવાઈ જવું.
શુદ્ધ રૂપ ગુપ્તિના પ્રવાહમાં સાધક મનને પેલે પાર ગયેલો હોય છે. વિકલ્પોને પેલે પાર : જ્યાં સ્વરૂપસ્થિતિ છે. સ્વગુણોની ધારામાં ડૂબવાનું છે.
१. अदु पोरिसिं तिरियं भित्तिं चक्खुमासज्ज अन्तसो झाइ ॥ आचारांगसूत्र, ९/१/५ ( टीका : अथ आनन्तर्ये पुरुषप्रमाणा पौरुषी आत्मप्रमाणा वीथी तां गच्छन् ध्यायति, ईर्यासमितो गच्छति । तदेव चात्र ध्यानं यदीर्यासमितस्य गमनमिति ।। )
૧૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org