________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
આથી જ, જ્ઞાનસારનું અનુભવાષ્ટક તથાકથિત જાગૃતિ અને સ્વપ્નાવસ્થા બેઉને સમાન કક્ષા પર મૂકે છે. કારણ કે વિકલ્પોની હારમાળા બેઉમાં ચાલુ છે.
રેલગાડીના ફર્સ્ટક્લાસ ફૂપેમાં એક યાત્રી ચઢ્યો. સહધ્યાત્રિણી એક બહેન હતી. યાત્રી-પ્રોફેસરને પુસ્તકો વાંચવા હતાં. ઉપરની બર્થ પર બેસી તેમણે પુસ્તકોની બેગ ખોલી. ત્યાં જ નીચેથી બહેનનો અવાજ આવવા લાગ્યો ઃ હે ભગવાન! કેવી તરસ લાગી છે ! વૉટર બૅગનું પાણી ખલાસ થઈ ગયું. બાથરૂમમાં પાણી આવતું નથી. હે ભગવાન!
પ્રોફેસરને થયું કે આમાં વંચાશે નહિ. ગાડી થોભે એટલે પહેલાં બહેનજીને વૉટરબૅગ ભરી આપું. ગાડી થોભી. પ્રોફેસર નીચે ઉતર્યા : લાવો, તમારી વોટરબેગ પણ ભરતો આવું. ભરીને આપી પણ દીધી. બહેનજીએ પાણી પીધું. પણ પછી એમની કેસેટ આ રીતે વાગવા માંડી : હે ભગવાન ! કેવી તરસ લાગી'તી ! તરસે તો જીવ જાય એવું થઈ ગયેલું..હે ભગવાન ! કેવી તરસ લાગી'તી....!
પ્રોફેસરે કપાળ કૂટ્યું. બહેનજી ગાડી છોડે નહિ ત્યાં સુધી વંચાવાનું નહિ.
બહેનજીના આ નિરર્થક એકાલાપ પર આપણને હસવું આવશે. પણ આપણા વિકલ્પોની કથા એવી જ નથી શું?
પ્રશ્ન એ થઈ શકે કે આપણા વિકલ્પો- જે આપણો સાધનાનો ઘણો કીમતી સમય લઈ લે છે – નવાણુ ટકા નકામા છે કે સો ટકા નકામાં?
નવાણુ ટકાવાળો જવાબ સાચો ત્યારે પડી શકે, જ્યારે એક ટકો વિકલ્પ શુભ ભાવનામાં ફેરવાતો હોય.
૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org