________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
એકતા જ્ઞાન નિશ્ચય દયા, - સુગુરુ તેહને ભાખે; જેહ અવિકલ્પ ઉપયોગમાં,
નિજ પ્રાણને રાખે. નિશ્ચય અહિંસા એટલે એકત્વજ્ઞાન, એકત્વાનુભૂતિ. એક આત્મસ્વરૂપમાં ' જ ઉપયોગને સઘન બનાવવાનો.
બહુ જ મઝાનો મનોવૈજ્ઞાનિક આયામ અહીં પકડાયો છે. સાધક પરમાં કયા દ્વારથી જાય છે ? વિકલ્પોના દ્વારથી જ તો! અચ્છા, તો એ દ્વાર જ બંધ કરી દેવાય ને !
શિષ્યને ઝપકી આવી છે. ગુરુ પૂછે છે : ઊંધી ગયો તું ? શિષ્ય હડબડીને જાગી જાય છે. ગુરુદેવ ! ઝોકું આવી ગયું અને ઊંઘમાં ધરતીકંપની ઘટનાનું સ્વપ્ન આવેલું.
ગુરુ કહે છે સાચમા ધરતીકંપ આવી ગયેલો. પણ કયાંય કોઈને તકલીફ પડી નથી. મકાનોમાં ક્યાંક તિરાડો આવી છે.
શિષ્ય કહે : ભૂકંપમાં આપને તો કોઈ તકલીફ નથી પડી? ગુરુ કહે તું સપનાના ભૂકંપમાં દટાઈ ગયો’તો એ જ તો તકલીફ થઈ ગઈ! . શિષ્ય પશ્ચાત્તાપના સુરમાં કહે છે : ઓહ ! મને ઝોકું ન આવ્યું હોત તો કેવું સારું હતું !
ગુરુ કહે છે : ક્ષણભરની બેહોશી કરતાં બીજો મોટો કોઈ ભૂકંપ નથી, એ બરોબર યાદ રાખવાને બદલે તું આ વિકલ્પોમાં જે સરી ગયો તે પણ બીજું, નવું ઝોકું નથી ?
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org