________________
ધ્યાન અને કાયોત્સર્ગ - પદ્યક્ર ભેદ
(૧૧)
આધારસૂત્ર સોહે સોહે સોહે સોહે, સોહં સોહં રટના લગી રી.... ઇંગલા પિંગલા સુખમના સાધ કે, અરુણપતિસં પ્રેમ પગી રી: વંકનાલ ખટચક્ર ભેદ કે, દશદ્વાર શુભ જ્યોતિ જગી રી..૧ ખુલત કપાટ ઘાટ નિજ પાયો, જનમ જરા ભય ભીતિ ભગી રી; કાચ શકલ તજ ચિન્તામણિ લે, ” કુમતિ કુટિલકું સહજ ઠગી રી.... ૨ વ્યાપક સકળ સ્વરૂપ લખ્યો ઇમ, જિમ નભ મેં મગ લહત ખેંગી રી; ચિદાનન્દ આનંદમય મૂરતિ, નીરખ પ્રેમભર બુદ્ધિ થશી રી....૩
-પૂ. ચિદાનંદજી, (૨૩, ચિદાનંદ બહોંતેરી) ‘તે' (પરમાત્મા) જ હું છું (સોહં) આ રટના લાગી છે. સાધકે ઈડા, પિંગલા અને સુષુણ્ણા નાડીઓ પર વિજય પ્રાપ્ત કરીને આત્મા રૂપી સૂર્ય સાથે પ્રેમ વિસ્તાર્યો છે. વનાળ અને ષચક્ર ભેદીને સહસ્ત્રારમાં જ્યોતિ ઝગી ગઈ છે. (૧) . "
કપાટ ખૂલતાં-ત્રિકુટી ભેદ થતાં પોતાનું સ્વરૂપ પમાયું. જન્મ, જરાની ભીતિ ભાંગી. કુમતિનો પ્રભાવ હટ્યો. લાગે કે કાચના ટુકડાને (બ્રમણાને) છોડીને ચિન્તામણિ (આત્માનુભૂતિ) રત્ન મેળવાયું છે. (૨)
વ્યાપક આત્માને અનુભવ્યો. આકાશમાં પંખી ઉડે તેમ ચિદાકાશમાં ઉડાણ થઈ. ચિદાનન્દજી કહે છે કે આત્માનું આ આનન્દમય સ્વરૂપ જોઈને બુદ્ધિ સ્તબ્ધ થઈ ગઈ. (૩)
.
૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org