________________
ધ્યાન અને કાયોત્સર્ગ
ભેદ
દેહમાં અનુભવાય. મેં કહ્યું તેમ સ્વતંત્રતા, સ્વાનંદ અને સહજ જ્ઞાનની ફૂર્તિ થાય.'
યોગી હરનાથે આટલું કહી વિરામ લીધો. આ માણસ કોઈ જાતના આગ્રહ ને આડંબર વિના પણ પૂરી આત્મપ્રતીતિથી વાત કરે છે એ સાંભળતાં જ વરતાઈ આવતું હતું. તેમને આ આત્મપ્રતીતિ કેવી રીતે થઈ તે જાણવા માટે મેં પૂછી જોયું :
આપને ત્રિકુટીભેદ થયો તેનું વર્ણન કરશો ?”
ભલે મને આ અનુભવ સ્વપ્નમાં થયો હતો અને જાગ્રત થયા પછી મે જોયું તો ખરેખર મારા જીવનની એ નવજાગૃતિ હતી. મારી સમસ્ત દષ્ટિ બદલાઈ ગઈ. માનવશક્તિની મેં જે મર્યાદા માની હતી તે પણ અલોપ થઈ ગઈ. એક અંધારી બંધિયાર ઓરડીમાં મોટું બાકોરું પડી જાય અને બહાર જોઈ શકાય તથા જઈ-આવી શકાય એવું જ કાંઈક આ શરીરમાં થઈ ગયું.
એક દિવસમાં તો આવી ઘટના નથી બની જતી. એને માટે વરસોની શાંત, ધીમી પણ દઢ તૈયારી ચાલતી હતી. અનેકવાર તૂટી જવા છતાં સાધનાનો તંતુ મેં છોડી નહોતો દીધો. આજે પણ આધ્યાત્મિક પંથે કાંઈ પરિણામ ન આવ્યું માની, નિરાશ થનારને કહું છું :
‘હરિ સે લાગી રહો મેરે ભાઈ, તેરી બનત બનત બન જાઈ...” સાધનાને વળગી રહો, સિદ્ધિ મળશે એમાં શંકા નથી.
મને અનુભવ થયો તે દિવસે મેં કોઈ ખાસ યોગક્રિયા નહોતી કરી. આવો અનુભવ થશે તેની પણ આગળથી કાંઈ એંધાણી નહોતી મળી. નાગા બાવાઓના એક શિવમંદિરમાં હું ઊતર્યો હતો. સાયં-આરતી વખતે એક જુવાન સાધુએ ડમરુ બજાવતાં ને ચામર ઢોળતાં શિવજી સન્મુખ જે
૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org