________________
ધ્યાન અને કાયોત્સર્ગ - ષક ભેદ
જન દરિયા ઈનકે પરે, બ્રહ્મ સુરત કી ઠોર. મન બુધ ચિત હંકાર યહ, રહે અપની હદ માંહિ; આગે પૂરન બ્રહ્મ છે, સો ઈનકી ગમ નહી. દરિયા સુરતી સિરોમની, મિલી બ્રહ્મ સરોવર જાય, જહ તીનો પહુચે નહિ, મનસા બાચા કાય.” આ ત્રિકુટી ભેદી એટલે પિંડ-બ્રહ્માંડનો પડદો હટી ગયો.
સમસ્ત બ્રહ્માંડને ચલાવતી મહાશક્તિનો સીધો સ્પર્શ થઈ ગયો. બાબા ગોરખનાથે કહ્યું છે: “પિsમણે વારં યો નાનાંતિ સ યોની ઉપસંવિત્તિર્મવતિ ' આ વસુધા જ યોગી માટે વેદ બની જાય છે. પછી પોથી-પુરાણની જરૂર રહેતી નથી. બાબા ગોરખનાથનું વચન હોઠ પર આવી જાય છે :
‘બિન પુસ્તક બાંચિબા પુરાણ, સરસતી ઉચરે બ્રહ્મગિયાન.”
યોગીનાં અંતરમાં સ્વયં સરસ્વતી જ બ્રહ્મજ્ઞાનનું ઉચ્ચારણ કરવા લાગે છે. પણ એને ઝીલવા માટે આધાર તૈયાર કરવો જોઇએ ને? “કાચ ભાંડે રહે ન પાની”. કાચા ઘડામાં જીવનનું અમૃતજળ કેમ રહે? પહેલાં સંયમ અને સાધનાથી કાયાશોધન કરવું જોઇએ, મન-પવનને પરાસ્ત કરવા જોઇએ, તો જ આ મહાશક્તિ અને પરમ શિવનું પૂર્ણ મિલન આ
૧૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org