________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પર્યક્ર ભેદ
ત્રણે લોકમાં, દેવ, માનવ, અસુરની યોનિમાં મહાકાળની જાળ બિછાયેલ છે. કોની તાકાત છે કે એને તોડી શકે ? કાળના આ પડકાર સામે બાબા ગોરખનાથ છાતી ઠોકીને કહે છે :
‘ઊભા ખંડો બૈઠા ખંડો, ખંડો જાગત સૂતા, તિહું લોક તે રહું નિરંતર, તો ગોરખ અવધૂતા.”
ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં આમ યમદંડનું ખંડન કરી નિત્ય વિહરવું એનું નામ ખરું જીવન. જેના પર મૃત્યુનો ઓળો પડ્યો હોય એને કોઈ જીવન કહે? ત્રિકુટીભેદ વિના આવું જીવન પમાતું નથી. - ત્રિકુટીભેદ એટલે બીજું કાંઈ નહિ, પણ સ્થળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ સૃષ્ટિ; વૈખરી, મધ્યમ અને પશ્ચંતી ત્રણ વાણી; જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણ અવસ્થા અને સત્ત્વ, રજસુ, તમ એ ત્રણે ગુણના પ્રકૃતિના રાજનો ભાંગીને ભુક્કો કરી નાખવો. તમે કુંડલિની, સુષુમ્મા અને ષચક્રની વાતો સાંભળી હશે. તેની પાછળ એક અદ્ભત રહસ્યમયતા ને ચમત્કારનું વાતાવરણ છવાઈ ગયેલું છે, પણ એમાં ચમત્કાર જેવું કાંઈ નથી. વિજ્ઞાનીઓ આ વિશ્વની સૂતેલી શક્તિઓનો વિસ્ફોટ કરે છે અને તેથી વિસ્ફોટક રોગની જેમ એનાં પરિણામો ભોગવવા પડે છે. યોગીજનો એ શક્તિને પ્રસ્તુટ કરે છે અને તેથી પરાગની જેમ એ બધે પ્રસન્નતા ફેલાવે છે. તમને મેં કહ્યું કે ત્રિકુટી એ પ્રકૃતિના રાજનું છેલ્લું થાણું છે અને તેનાં મૂળીયાં છે. મન, બુદ્ધિ, અહંકાર. અનેક ભેદ, વિચ્છેદ અને તેથી અંતે વિલાપને સર્જનારાં આ ત્રણ મૂળ કાપી નાખો એટલે જડતાની સાંકળ તૂટી ગઈ. ત્રિકુટી વિષે મારવાડી સંત દરિયાસાહેબની સુંદર સાખી છેઃ
મન બુધ ચિત હંકાર કી, હૈ ત્રિકુટી લગ દૌડ;
• ૧૨૫
અને સર્વ
કે દલિની, સુ
ચમત્કારનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org