________________
ધ્યાન અને કાયોત્સર્ગ - પચક્ર ભેદ
આપે કહ્યું કે આપને ત્રિકુટીભેદ થયો ત્યારે આપને સ્વતંત્રતા, સ્વાનંદ અને સહજજ્ઞાનનો અનુભવ થયો. તો આ ત્રિકુટીભેદ શું છે ?” યોગી હરનાથને મેં પૂછ્યું :
યોગી હરનાથે જવાબમાં કહ્યું :
‘ત્રિકુટી એ યૌગિક પરિભાષાનો શબ્દ છે અને અત્યારે તો એ ભાષા ભુલભુલામણી જેવી બની ગઈ છે. તમને એમાં ગૂંચવી નહિ મારું, યોગસિદ્ધાન્ત અને મારા અનુભવને બને તેટલી સરળ રીતે કહું. આપણે ક્ષણિક આનંદ અને શુદ્ર સામર્થ્યમાં રમીએ છીએ પણ શાશ્વત આનંદ અને અસીમ શક્તિનો ભંડાર આપણામાં સભર ભર્યો હોવા છતાં એને જાણી કે માણી શકતા નથી. મનુષ્યજીવનની આ સહુથી મોટી કરુણતા છે. એથી મનુષ્ય ખંડિત મહિમાની પ્રતિમા સમો લાગે છે. આનો ઉપાય શો ? બહારથી તો કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. અહંકારનું કાળું ઢાંકણું પડ્યું છે. એને જેટલું હટાવશો એટલું અજવાળું મળશે. પ્રાણની અંધ અને નિગ્નગામી શક્તિ સામે અમે શુદ્ર અહંને તોડી નાખતો “સ અહ'નો જાજ્વલ્યમાન પ્રકાશ પાથરીએ છીએ. અથાક, અવિરત, અખંડ સાધના. પછી અજપાજાપરૂપ, હરેક શ્વાસ સાથે, આ સાધના અનાયાસ વહેવા માંડે છે અને ત્રિગુણમયી પ્રકૃતિનાં બંધનો તૂટી પડે છે. કાળના પ્રહારનું કાંઈ ચાલતું નથી.'
આ સંસારમાં દરેક પ્રાણીને માથે કાળ ભમે છે ને લલકારીને કહે છે : ‘ઊભા મારું, બૈઠા મારું મારું જાગત સૂતા, તીન લોક લગ જાલ પસાર્યા, કહાં જાયગો પૂતા?”
૧૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org