SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - પર્યક્ર ભેદ બ્રહ્મરન્દ્ર ચોટીના ભાગને કહે છે. બ્રહ્મને પ્રવેશવાનું દ્વાર. ર% એટલે કાણું. ગુરુદેવનો હસ્તસ્પર્શ, અને બ્રહ્મરન્દ્ર સજ્જ બને છે. હજાર પાંખડીવાળું કમળ-સહસ્ત્રાર જે મૂરઝાયેલું પડ્યું હતું તે ખીલે છે. અને ત્યાં ચૈતન્યદેવની-પરમાત્માની પધરામણી થાય છે. ગુરુદેવના હસ્તસ્પર્શ મૂળાધારમાંથી શક્તિની ઉર્ધ્વયાત્રા શરૂ કરાવી. આપણી પરંપરામાં પ્રભુ અભિષેક સમયની એક સરસ કાવ્યપંક્તિ છે : “જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર...” આ સરસ દુહો ભીતરી મેરુ અભિષેકના સમયનો છે. જ્ઞાતાભાવરૂપી કળશમાં સમત્વનું જળ ભરી, સહસ્ત્રાર પર પ્રતિષ્ઠિત થયેલ આહત્ત્વને, અરિહંત પ્રભુના આશા-ઐશ્વર્યને અભિષેક કરતાં કર્મો વહી જ જાયને ! ત્રિકુટીભેદની અદ્ભુત પ્રક્રિયા ભણી ઇશારો કરે છે આ સૂત્ર: “ખુલત કપાટ ઘાટ નિજ પાયો...” ત્રિકુટી ભેદ થતાં જ પોતાના સ્વરૂપનું ભાન થાય છે. આ ત્રિકુટી ભેદ શું છે? ગંગા સતીનું અધ્યાત્મ દર્શનમાં શ્રી ભાણદેવ લખે છે : ત્રિકુટી એટલે ભૂમધ્યમાં રહેલ આજ્ઞાચક્ર. સાધનાના પથમાં આ ત્રિકુટી તે છેલ્લું કમાડ છે. તેનું ભેદન થાય એટલે સાધકની ચેતના બ્રહ્મરન્દ્રસ્થ સહસ્ત્રારમાં પહોંચે છે અને તેનો સમાધિમાં પ્રવેશ થાય છે. ત્રિકુટી ભેદન થતાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો ભેદ વિલીન થાય છે. ૧૧ છે. યોગી હરનાથના સાન્નિધ્યમાં' પુસ્તકમાં શ્રી મકરન્દ દવે ત્રિકુટી ભેદને આ રીતે વર્ણવે છે: . ૧૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy