________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પર્યક્ર ભેદ કરે છે. સહસ્ત્રારચક્રમાં દિવ્ય-શક્તિઓનો દિવ્ય પ્રકાશ અને પ્રેરણા ઝીલવામાં આવે છે.
હવે પંક્તિઓ જોઇએ. ઇંગલા પીંગલા સુખમના સાધ કે, અરુણ પતિ નું પ્રેમ પગી રી...” સુષુમ્મામાં પ્રવેશ થતાં જ જ્યોતિર્મય ચૈતન્ય જોડે સંબંધ પાંગરે છે. અત્યાર સુધીની અંધિયારી ભીતરી ભોમકા પર ચૈતન્યનો ઉજાશ રેલાય છે. અરુણ એટલે સૂર્ય. ચેતનાના ઉજાશ જોડે આ પ્રતિકને વણેલું છે. પોતાની જાતનું સ્વામિત્વ શું છે તેનો આછો ખ્યાલ આવે અરુણપતિ શબ્દ વડે. છાન્દોગ્ય ઉપનિષદ્ કહે છે : “બાત્મતિઃ માત્મડિ: માત્માનન્દ સ્વરા.” પોતાની જાત સાથે પ્રેમ-રતિ કરનાર, આત્મામાં જ રમમાણ રહેનાર અને આત્મિક આનંદને માણનાર પોતાની જાતનો માલિક છે.
અરુણપતિ નું પ્રેમ પગી રી....” ઉજાશમય ચૈતન્ય કેન્દ્ર સાથે, આત્મા સાથે સંબંધ બંધાયો. ચૈતન્ય જ પ્રભુત્વમય છે. શંકરાચાર્ય કહે છેઃ વૈતન્ય: પ્રમતિ વતુ ન નડે: વિ.' “ચૈતન્યનો જ વિજય છે બધે, જડનો ન કદાપિ.”
વંકનાલ ષચક્ર ભેદ કે, દશમ દ્વાર શુભ જ્યોતિ જગી રી... સુપૃષ્ણા નાડી પૂરાયેલી હોય છે ત્યારે એ વંકનાલ કહેવાય છે. તેમાં છ ચક્રો આવેલાં છે. પકોને ભેદીને ચેતના દશમ દ્વારમાં, બ્રહ્માસ્ત્રમાં પહોંચે છે. સહસ્ત્રારમાં. '
દશમ દ્વાર...બે આંખ, બે કાન, મુખ આદિ નવ વાર તો દરેક મનુષ્યને છે. પણ આ દશમું દ્વાર સહસ્ત્રાર.....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org