________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પચ્ચક્ર ભેદ
થાય છે. સાધકને પોતાના વ્યક્તિત્વના નવા પ્રદેશોની ઝાંખી થાય છે. આ બધા જ પ્રદેશો ધીમે ધીમે તેના વ્યક્તિત્વના અભિન્ન અંગ બની જાય છે.
આ દિવ્ય અનુભૂતિઓ જ્યારે ચરમ સીમા પર પહોંચે છે ત્યારે સાધકની કુંડલિની બ્રહ્મરંધ્રની સાંકડી સીડી વટાવી મસ્તકની ટોચે ઊભી રહે છે. ત્યારે તેને દિવ્ય પ્રકાશનો સાક્ષાત્કાર થાય છે. સાધક પોતાની ભૌતિક ચેતના વટાવી વિશ્વાત્માની વિશાળતર ચેતનામાં જન્મ લે છે.
દરેક માનવ ફક્ત ભૌતિક, સ્થૂલ શરીર જ ધરાવતો હોતો નથી. આ ભૌતિક શરીરની પાછળ એક સૂક્ષ્મ શરીર આવેલું છે અને તેની પણ પાછળ કારણ શરીર આવેલ છે. એકની પાછળ બીજી ગિરિશંખલાઓ હોય એવું આ ભવ્ય દશ્ય હોય છે. ઉત્ક્રાંતિ માટે પ્રયત્ન કરવો જરૂરી છે. પ્રયત્ન માટે કૃતિ કરવી જરૂરી હોય છે. કૃતિ માટે કૃતિ કરવાની ઇચ્છા હોવી જરૂરી છે. અને ઇચ્છા માટે ઇચ્છાના વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. તેથી જ્ઞાન પ્રકટ કરનાર કારણ શરીર, ઇચ્છા વ્યક્ત કરનાર સૂક્ષ્મ શરીર અને કૃતિ વ્યક્ત કરનાર, પાર્થિવ શરીરની રચના છે. આ એકબીજાથી જુદાં હોવા છતાં એકબીજાથી સંલગ્ન છે, જોડાયેલાં છે. આ જોડાણ કરનારી નલિકાઓને અનુક્રમે ઈડા, પિંગલા અને સુષુણ્ણા નાડી કહેવામાં આવે છે. પ્રભુનો દરેક માનવશરીર માટેનો ખાસ પ્રકારનો સંકલ્પ હોય છે. તે સંકલ્પને યથાર્થ કરવા આ ત્રણે શરીર માધ્યમ તરીકે વપરાય છે.
ઉપરની ત્રણે નાડીઓનું પોતાનું વિશિષ્ટ કાર્ય હોય છે અને રંગ પણ હોય છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરને જોડનારી ચેતના-વાહક નાડીને ઈડા નાડી કહે છે. ગૂઢવાદીઓ તેને સીલ્વર કૉડ કહે છે. કારણ કે તે ચાંદી જેવો ચળકાટ ધરાવે છે. સૂક્ષ્મ-શરીર અને કારણ શરીરને જોડનારી ચેતનાવાહક નાડીને પિંગલા કહે છે, કારણ કે તે સોનેરી ચળકાટ
૧૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org