________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ષચક્ર ભેદ ચંદનબાળાએ પ્રભુ મહાવીર દેવને કહેલું : “એક શ્વાસમાંહિ સો વાર, સમરું તમને રે..” પ્રભુ ! એક સાંસ પર એક વાર નહિ; એક સાંસ પર સો-સો વાર હું તમારું સુમિરન કરું છું. તમે મારે દ્વારેથી કેમ પાછા ફરી શકો ?
અહીં પ્રભુના સ્મરણથી પ્રભુપદ પ્રાપ્તિમાં પરિણમતી એક મઝાની યાત્રાનું વિવરણ છે.
ઇંગલા પિંગલા સુખમના સાધ કે, અરુણપતિનું પ્રેમ પગી રી” ઇગલા (ઇંડા) ચન્દ્ર નાડી. પિંગલા સૂર્ય નાડી. સુષુમ્મા મધ્યવર્તી નાડી. યોગીઓ એને લાડમાં સુખમના કહે છે. જેમ ઉજાગરને તુરીયા કહે છે તેમ. ઉજાગરને નામથી બહુ જ ઓછી વાર સંબોધવામાં આવે છે. તુરીયા, ચોથી, ધ ફોર્થ, એ રીતે જ (૪ અવસ્થાઓમાંથી સ્વપ્ન, નિદ્રા અને જાગૃતિ પછી ચોથી હોવાથી) તેને સંબોધવામાં આવે છે.
સુખમના. આમ પણ ઠીક નામ છે. મનની એ સુખમયી અવસ્થા છે.
સાવિત્રી સંપર્કમાં શ્રી માનસિંહ ચાવડાએ નાડીઓ અને કુંડલિની તથા ષટ્યક્ર અંગે સારી માહિતી આપેલ છે, જેનો સાર આ પ્રમાણે છે.
જ્યારે સાધક સાધના કરવા શરૂઆત કરે છે ત્યારે તે ધીમે ધીમે વિશ્વશક્તિઓ સાથે સંપર્કમાં આવે છે અને તેથી તેને માનવ શરીરની સૂક્ષ્માતિસૂક્ષ્મ આંતર રચના અને તેની કાર્ય પદ્ધતિનો ખ્યાલ આવે છે. સામાન્ય માનવને અતિ દૂર અને અપરિચિત લાગતા તત્ત્વો રૂપી નવા અતિથિઓ આંતર ઇન્દ્રિયોનાં દ્વાર ખટખટાવી પોતાનાં વીઝીટીંગ કાસ અંદર મોકલવાની શરૂઆત કરે છે. વિશ્વશક્તિઓ રૂપી માતૃકાઓ સાધકને ઢંઢોળી જગાવવા મથે છે. સાધક વિશાલમાંથી વિશાલસર ચેતના ધરાવતો
૧૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org