________________
ધ્યાન અને કાયોત્સર્ગ - સુષુણામાં પ્રવેશ શ્રી મકરન્દ દવે વિશ્વ ચેતનાના વણજારા માં સુષુમ્મા વિષેની પૂર્વ સૂરિઓની નોંધ ટપકાવતાં કહે છે :
મહાકવિ કાલિદાસે “મેઘદૂત'માં સરસ વર્ણન કર્યું છે : आकैलासाद् बिसकिसलयच्छेदपाथेयवन्तः। संपत्स्यन्ते नभसि भवतो, राजहंसाः सहायाः ।।
અહીં કૈલાસ, બિસકિસલય અને રાજહંસ ત્રણે દ્વારા ભક્ત કવિએ ચિદ્ગગનમાં ઊડતા સાધક માટે યોગસંકેત દર્શાવ્યો છે. મસ્તકને કૈલાસ કહેવામાં આવે છે. કુંડલિની શક્તિને “બિસકિસલય પ્રભા' કહેવામાં આવે છે. તેની ગતિ કમળનાળમાં રહેલા અત્યંત સૂક્ષ્મ અને છેક મસ્તિષ્ક સુધી જતા તન્ત જેવી દેદીપ્યમાન છે. એ જ સુષુષ્ણામાં રહેલી વિરજા નાડી છે. અને એ જ નાડી ઉપનિષની ભાષામાં વિરજ નિષ્કલ બ્રહ્મ'ની પ્રાપ્તિ કરાવે છે. કઠોપનિષદ્ (૨-૩- ૧૬), છાન્દોગ્યોપનિષદ્ (૮-૬-૬), પ્રશ્નોપનિષદ (૩-૬) તથા ગીતા (૮-૧૨) માં આ નાડીનું વર્ણન છે.
મસ્તક સુધી જતી વિરજા નાડી મનુષ્યના ચિત્તને રજોગુણમાંથી મુક કરે છે. એટલા માટે જ તે વિરજા કહેવાય છે.
યોગશાસ્ત્રો તેને બ્રહ્મનાડી, તત્ત્વનાડી, કપાળકુંડલા વગેરે કહે છે.
૧૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org