SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સુષુમ્મામાં પ્રવેશ આનન્દ : ભીતર ડૂબવાનું, સ્વગુણમાં. ઉદાસીનતા : વિભાવોથી ઊંચા ઊઠવાનું. શરૂઆતમાં સાધક પાસે જે આનંદ હશે તે સામાન્ય કોટિનો હશે. તેને ધારદાર, તીક્ષ્ણ, ગાઢ બનાવવા માટે ઉદાસીનભાવને આનંદમાં ભેળવવાનો. જેમ જેમ ઉદાસીનભાવ આનંદમાં ભળશે તેમ એ આનંદ સાધકને ચિદાકાશમાં ઉડ્ડયન કરાવનાર થશે. ગોરખનાથની વાણી છે : અનહદ સઇદે શંખ બુલાયા, કાલ મહાદલ દલિયા લો; કાયા કે અંતરિ ગગન મંડલ મેં, સહજૈ સ્વામી મિલિયા લો...! અનહદ નાદનો શંખ વાગ્યો, શ્વાસોચ્છવાસે, રોમે-રોમ, શિવત્વનો વિજય-ધ્વનિ થતાં જ કાળનું મહા સૈન્ય હારી ગયું. આ શરીરમાં જ રહેલા ચિદાકાશમાં જ સહજપણે, સ્વાભાવિક રીતે પરમાત્માનો મેળાપ થયો. સુષુમ્યા. પ્રશાંતવાહિતાની ધારામાં લસરવાનું. આ સ્વગુણમાં થયેલ વિહાર, સ્વગુણમાં સ્થિતિ તે જ છે ધ્યાન. અનુભવ કરવો છે આ ભીતરી સ્થિતિનો. સંત કબીર કહે છે : કહે સુનૈ કૈસે પતિઆઈએ, જબ લગ તિહાં આપ નહિ જાઈએ. માત્ર કહેવા કે સાંભળવાથી ભીતરી અનુભૂતિ પર વિશ્વાસ કેવો થશે? ત્યાં જઈશું ત્યારે જ અનુભૂતિને પ્રમાણિત કરી શકાશે. ૧૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy