________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સુષુમ્મામાં પ્રવેશ સમ્રાટને થયું કે પોતે આ ફકીર પાસે દરિદ્ર હતો !
ફકીર પાસે આનંદ હતો એ ભીતર ડૂબવાનો હતો. મૂર્તિઓના સર્જનની ક્ષણોમાં એ મૂર્તિઓની સાથે, એ મૂર્તિઓમાં જે ભાવ ઉપસાવવા માગતા હતા તેઓ, એ ભાવ સાથે તન્મય બન્યા હતા તેઓ.
આનંદ નગરી. ઉદાસીનતા શેરી.
બહુ પ્યારો શબ્દ છે ઉદાસીનતા. બે શબ્દોના જોડાણથી તે બન્યો છે: ઉઆસીનતા. ઊંચે બેસવાપણું. તટસ્થતા. નદીનો પ્રવાહ જોરથી વહી રહ્યો છે, ઘણું બધું એમાં તણાઈ રહ્યું છે, પણ કાંઠે બેઠેલો પ્રેક્ષક-તટસ્થ તો માત્ર આ બધું જોયા કરે છે.
સાધકના સંદર્ભમાં સાક્ષીભાવ એ કિનારો છે. ભક્તના સંદર્ભમાં પરમાત્મા કિનારો છે.
શ્રીકૃષ્ણપ્રેમ કહે છે : “આ કિનારો તે પરમાત્મા. લાખો સૂર્યોના તેજથી ઝળહળતા એવા આ પરમાત્માને સહુ કોઈ પામી શકે. તેમનો સાક્ષાત્કાર કરી શકે. જરૂર છે માત્ર સાચી લગનની-આરતની.”
શ્રીપાળ રાસની ઉક્ત કડીએ સુષુમ્મામાં પ્રવેશવાનો માર્ગ પણ ચીંધ્યો. સુષુપ્સામાં પ્રવેશ પછી મળતા દિવ્ય આનંદ અને ઉદાસીનભાવની વાત પણ કરી.
જોઈએ છે એક નિર્ધાર : સુષષ્ણા, સમભાવ, યોગનાલિકાને પામવાનો.
૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org