________________
ધ્યાન અને કાયોત્સર્ગ - સુબ્રુષ્ણામાં પ્રવેશ છે. મેરુ પર્વત પર વર્ધમાન પ્રભુનો અભિષેક થયો. અને પછી ઇન્દ્રાણી પ્રભુના પરમ પાવન શરીરને લૂછી રહ્યાં છે સુકોમળ કૌશય વસ્ત્રથી.
પ્રભુના રૂપને નીહાળવાથી જે હર્ષ ઉપજ્યો છે! આંખો ભીની ભીની બની ઈન્દ્રાણીની. અને એક હૃદયંગમ ઘટના બની. ભીનાશ છે ભક્તની આંખોમાં, મન એને પ્રતિબિબિંત કરે છે પ્રભુના મુખકમલ પર. ઈન્દ્રાણીને લાગે છે કે પ્રભુનું મુખ ભીનું છે, ભીનું છે... ને તેઓ વસ્ત્ર મુખ પર ફેરવ્યા જ કરે છે.
ઇન્દ્રિયો અને મન પ્રભુના રૂપ આદિ સાથે જોડાય ને સુખ નામની સંઘટના પનપે.
આનન્દ ક્યારે આવે ?
અસ્તિત્વ પ્રભુના ગુણોમાં ડૂબી જાય ત્યારે. પ્રભુના ક્ષમા ગુણમાં ભક્ત ડૂળ્યો. અનુપ્રેક્ષાના સીમાડાને વીંધીને અનુભૂતિના સ્તરે ભક્ત પહોંચશે અને એનું અસ્તિત્વ આનંદથી છલક છલક છલકાઈ જશે.
એક સૂફી કથા હમણાં વાંચેલી :
એક ફકીર અલમસ્ત, ઓલિયો કલાકાર. તેણે ઘણી સુન્દર પ્રતિમાઓ બનાવેલી. એક વાર સમ્રાટ તેની ઝુંપડી પાસેથી નીકળ્યો. ફકીરને ત્યાં રહેલ મૂર્તિઓ જોઈ એ ખુશ થયો. એક કલાકૃતિ એણે લીધી અને સો સોનામહોર ફકીર પાસે મૂકી.
ફકીરે એક સોનામહોર રાખી નવ્વાણુ સોનામહોર સમ્રાટને પાછી આપી. કારણ પૂછતાં ફકીરે કહ્યું : મને કલાકૃતિના સર્જન સમયે આનંદ મળી ગયો. સર્જનનો આનંદ કશાથી મપાતો નથી. એ સામે, દીનારમાં આનંદ આપવાની ક્ષમતા નથી. પરંતુ આપનું સન્માન સાચવવા માટે એક સોનામહોર રાખું છું.
* ૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org