________________
ધ્યાન અને કાયોત્સર્ગ - સુષણામાં પ્રવેશ
સુષુણ્ણાને લાડમાં સાધકો સુખમના કહે છે. જે નાડીમાં શ્વાસ જતાં મન સુખમાં ડૂબી જાય તે સુખમના, સુષુમ્મા. * આવો જ એક લાડનો શબ્દ-પ્રયોગ ઉજાગર માટે પ્રયોજાયો છે. યોગીઓ ઉજાગરને એ નામથી ક્યારેય નથી બોલાવતા. જાગૃત, સ્વખ, સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓને પારની અવસ્થા ઉજાગર હોવાથી તેઓ તેને ચોથી, ચતુર્થી, તુરીયા, તુર્યા આવા લાડના નામથી જ સંબોધે છે.
પૂજ્ય ચિદાનંદજી મહારાજ એક પદમાં કહે છે : “ઈડા પિંગલા સુખમના સાધકે, અરુણપતિ નું પ્રેમ પગિરિ. ઈડા, પિંગલા અને સુખમના (સુષુમ્મા) નાડીઓને સાધીને યોગી અરુણપતિ (શુદ્ધ ચેતના) જોડે સંબદ્ધ થાય છે.
ડાબા નાકમાંથી શ્વાસ વહે ત્યારે ઈડા નાડી વધી રહેલી જાણવી. ઈડાને ચંદ્ર નાડી, સિલ્વર કૉડ કહેવાય છે. ભીતરી અર્થમાં લઈએ તો ચંદ્ર નાડી એટલે રાગના ઉદયની અવસ્થા.
જમણા નસકોરેથી વાયુ નીકળે ત્યારે પિંગલા. સૂર્યનાડી. ગોલ્ડન કૉડ. વૈષના ઉદયની અવસ્થા.
બન્ને નસકોરામાંથી શ્વાસ સમ રીતે વહે તે સુષુમ્મા. સમતા.
સુષુમ્મામાં પ્રવેશ શી રીતે કરવો ?
૧. ડાબા સ્વર જબ ચલત હૈ, ચન્દ્ર ઉદય તબ જાન. ૨. જબ સ્વર ચાલત જિમણો, ઉદય હોત તબ ભાણ. ૩. દોઉ સ્વર સમ સંચરે, તબ સુષુમણ પહિચાન.
૧૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org