________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન આનન્દલોકની યાત્રા બિન્દુનવકની વાત સરસ છે : બિન્દુ, અર્ધચન્દ્ર, નિરોધિકા, નાદ, નાદાન્ત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના.
બિન્દુ ગ્રન્થિનું સ્થાન ભૂમધ્ય છે. ભૂમધ્યથી બ્રહ્માસ્ત્ર અગિયારે આંગળ દૂર છે. તેમાં અર્ધચન્દ્રાદિ આઠ ગ્રન્થિઓ આવી છે. લલાટના અગ્ર ભાગ પર અર્ધચન્દ્ર ગ્રન્થિ છે. મધ્યભાગે નિરોધિકા અને અન્તભાગે નાદ ગ્રથિ છે. તેના પછી શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના ગ્રન્થિઓ અનુક્રમે રહેલી છે.
બિન્દુથી સમના સુધીનો કાળ અર્ધમાત્રાનો છે, તેથી તેને અર્ધમાત્ર અવસ્થા કહે છે. સમનામાં માત્રાનો અત્યન્ત સૂક્ષ્મ અંશ બાકી રહે છે. તેનો લય થતાં જ મનનો સંબંધ છૂટી જાય છે. ત્યાર પછી ઉન્મનાવસ્થા આવે છે.
આ રીતે બિન્દુ એ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ધ્વનિ અને મનનો વ્યાપાર હોવાથી મલિન વાસનાઓનો ક્ષય થતાં આત્મજ્યોતિ વિશુદ્ધ બને છે.
બિન્દુધ્યાનમાં આત્મપરિણામની વિશુદ્ધિ થવાથી કર્મોનો મોટા પ્રમાણમાં નાશ થાય છે.
પંચ નમસ્કાર પદના સર્વ અક્ષરોમાં (ઉપર બતાવેલ ૧૬ અક્ષરોમાં) પણ દરેક અક્ષર પર રહેલી માત્રાઓ વીજળી જેવી જાજ્વલ્યમાન છે અને પ્રત્યેક અક્ષર ઉપર ચંદ્રમાં જેવું ઉજજવળ, જળ જેવું નિર્મળ, હજારો આકારવાળું, સેંકડો યોજન પ્રમાણ બિંદુ છે.
सोलससु अक्खरेसुं, इक्किक्कं अक्खरं जगुज्जोयं । भवसयसहस्समहणो, जम्मि ठिओ पंचनवकारो ॥ २७ ॥ - अरिहाण थुत्तं,
૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org