________________
ધ્યાન અને કાયોત્સર્ગ - ધ્યાન : આનન્દલોકની યાત્રા
મૂલાધાર ચક્ર ગુદામૂળથી બે આંગળ ઉપર અને ઉપસ્થમૂળથી બે આંગળ નીચે રહેલ છે. ઈડા (ડાબી નાડી), પિંગલા (જમણી નાડી) અને સુષુણ્ણા (મધ્ય નાડી)નું તે મિલન સ્થાન છે.
આ મધ્ય નાડીમાં પ્રાણનો સંચાર થાય અને તે સહસ્ત્રાર સુધી પહોંચે. આ થઈ કુંડલિની યાત્રા. - શ્રી મકરંદ દવે “અન્તર્વેદી'માં કહે છે : “સામાન્ય રીતે વાયુનો નિવાસ નસકોરાંથી બાર આંગળ જેટલો માનવામાં આવે છે. યોગપ્રણાલી અનુસાર મનુષ્ય રોજ ૨૧,૬૦૦ શ્વાસ લે છે. અજ્ઞાનમાં આ શ્વાસોચ્છવાસ અનાયાસ ચાલ્યા કરે છે. તેની સાથે મંત્ર કે મૂર્તિનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તેમાંથી આપમેળે અનાહત નાદ ઉત્પન્ન થાય છે.”
ગોરખનાથ કહે છે : ‘દ્વાદસી ત્રિકુટી ઈગલા પિંગલા, ચવદિસિ ચિત્ત મિલાઈ.”
“દ્વાદશ આંગળ ચાલતા ઈડા અને પિંગલાના શ્વાસનું ત્રિકુટીમાં સુષુમ્યા દ્વારા મિલન થાય છે. અને ત્યારે ચારે દિશામાં ફરતું ચિત્ત એકાગ્ર બને છે. મૂળાધારમાંથી જે મિલન સુખ દશામાં રહ્યું છે, તેને આ જપથી જાગ્રત કરવામાં આવે છે.” “મછીન્દ્ર-ગોરખ બોધમાં પણ આમ કહ્યું છે. ગોરખનાથ પૂછે છે : દ્વાદશ આંગલ બાઈ,
કોણ મુખિ રહે ? સત્વગુરુ હોઈ સો,
બૂઝયાં કહે.. દ્વાદશ આંગળ વાયુ અંતે ક્યાં જઈને વિશ્રામ કરે છે તે મને સમજાવી દો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org