________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન આનન્દલોકની યાત્રા તો, નિર્વિકલ્પ અવસ્થા તે શૂન્ય ધ્યાન. મનમાંથી મોટા-મોટા વિક્લો નીકળી જાય.
(૪) પરમ શૂન્ય ધ્યાન.
અહીં એ રીતે પ્રક્રિયા કરાય છે કે પહેલાં તો ચિત્તને ત્રિભુવનના વિષયમાં વ્યાપવાળું - ફેલાવવાનું કરીને એને સંકોચીને એકાદ વસ્તુ (આત્મદ્રવ્ય યા પરમાણુ આદિ) પર લાવવાનું. અને પછી એમાંથી પણ ચિત્તને લઈ લેવાનું, ખસેડી લેવાનું
મતલબ કે આગળ કહેલ નિર્વિકલ્પ અવસ્થાની પરાકાષ્ઠા અહીં મળે છે.
ધ્યાનશતકમાં શુક્લધ્યાનના પ્રાણ વખતે આ ક્રમ આપેલ છે. ત્યાં ૭૧મી ગાથામાં કહ્યું છે કે જેમ સર્વશરીરગત વિષને મંત્ર વડે ઝંખના પ્રદેશમાં લવાય છે અને પછી ત્યાંથી તેને દૂર કરાય છે, તે રીતે ત્રિભુવન વ્યાપી મનને એકાદ પદાર્થમાં લાવી ત્યાંથી પણ ખસેડી લેવાનું.
(૫) કલા ધ્યાન.
કલા એટલે કુંડલિની. તેનું ઉત્થાન થવાથી જે સમાધિ મળે છે તે છે કલા ધ્યાન.
કુંડલિનીના સ્વરૂપને ઘણા જૈનાચાર્યોએ શબ્દબદ્ધ કરેલ છે. આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ સર્વજ્ઞાષ્ટકમાં તેનું વર્ણન કર્યું છે. આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજીએ “સિદ્ધમાતૃકાભિધ ધર્મપ્રકરણમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
પૂ. ચિદાનંદજી મહારાજ “સ્વરોદય જ્ઞાન ગ્રંથમાં લખે છે : નાભિ પાસ હૈ કુંડલિ નાડી,
વંકનાલ છે તાસ પિછાડી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org