________________
/ ધ્યાન અને કાયોત્સર્ગ //
[૯] ધ્યાન : આનન્દલોકની યાત્રા
ધ્યાનશતકગ્રંથ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લધ્યાનનું વર્ણન આપે છે. યોગશાસ્ત્ર પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત ધ્યાનની વ્યાખ્યા આપે છે. સ્વરોદય જ્ઞાન ગ્રંથ (પૂ. ચિદાનંદજી) આ જ ચાર ધ્યાનોની વ્યાખ્યા થોડી જુદી રીતે આપે છે, જે આપણે આગળ જોઈ ગયા.
ધ્યાનવિચારગ્રંથ ચોવીસ જાતના ધ્યાનનું વર્ણન કરે છે. એમાં ૧૨ ધ્યાનના મૂળ પ્રકારો છે; તે જ એક એક પ્રકારને “પરમ” લગાડી બીજા ૧૨ ભેદો કરાય છે.
પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્યપ્રવર શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજે આ ગ્રંથ પર સરસ વિવેચના આપી છે.
૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org