________________
ધ્યાન અને કાયોત્સર્ગ - ધર્મધ્યાન અને શુક્લધ્યાન
અન્તર્મુહૂર્ત પહેલાં (શૈલેશીકરણની પૂર્વે) કેવળી સમુઘાત વડે યા સહજ રીતે અઘાતી કર્મોની સ્થિતિ સમાન આવીને ઊભી હોય ત્યારે યોગ નિરોધ થાય છે.
પહેલાં મનોયોગનો સર્વથા નિરોધ, પછી વચનયોગનો સર્વથા નિરોધ. ત્યારબાદ કાયયોગ અડધો નિરુદ્ધ થાય ત્યારે સૂક્ષ્મકાયક્રિયા રહ્ય છતે આ ત્રીજો ધ્યાનનો પ્રકાર હોય છે. (સૂક્ષ્મ કાયક્રિયા હજુ અટકી નથી માટે આ ભેદનું નામ સૂક્ષ્મ ક્રિયા અનિવર્તી છે.)
ચોથો ભેદ શુક્લધ્યાનનો છે : ચુપરત ક્રિયા અપ્રતિપાતી.
ચૌદમા ગુણઠાણે આત્મા અયોગી કેવળી બને છે તે વખતે આ ભેદ છે. અહીં સૂક્ષ્મ કાયક્રિયા પણ અટકી ગયેલ હોવાથી એને ચુપરતક્રિયા કહેવાય છે. અને હવે શાશ્વત કાળ સુધી આ અયોગિઅવસ્થા ચાલવાની હોવાથી અપ્રતિપાતી. એટલે આ ભેદનું નામ થયું સુપરત ક્રિયા અપ્રતિપાતી.
ધર્મધ્યાનથી શુક્લધ્યાન સુધીની આ યાત્રાનું વર્ણન પણ કેટલું મનોહર
માધુર્યસભર આ ક્ષણોને માણ્યા જ કરીએ.
* ૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org