________________
ધ્યાન અને કાયોત્સર્ગ ધર્મધ્યાન અને શુક્લધ્યાન
અહીં શ્રુતનું આલમ્બન લઈને એકાદ પદાર્થ કે આત્મદ્રવ્ય પર સાધક પોતાનું અનુધ્યાન કેન્દ્રિત કરે છે.
દ્રવ્ય એક જ છે અહીં, પણ એના ભિન્ન ભિન્ન પર્યાયો પર જઈ શકાય છે. જેમ કે આત્મતત્ત્વના ધ્યાનમાં તેના નિત્યત્વ, અનિત્યત્વ આદિ પર્યાયો પર એ ઉપયોગને લઈ જશે.
વિતર્ક એટલે શ્રત. પૃથકત્વ એટલે ભિન્નતા. સવિચાર એટલે સંક્રમણ-શીલતા.
ઉપયોગ અર્થ પરથી શબ્દ પર જઈ શકે. શબ્દ પરથી અર્થ પર પણ. એ જ રીતે કાયાની નિશ્ચલતા પ્રત્યે પણ ઉપયોગ ફંટાઈ શકે.
આમ, શબ્દ, અર્થ અને યોગમાં સંક્રમણ થતું હોવાથી આ ધ્યાનનો પ્રકાર સવિચાર છે.
અહીં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનો ભેદ હોવાથી પૃથકપણું, ભિન્નતા છે. શુક્લધ્યાનનો બીજો પ્રકાર છે એકત્વ વિતર્ક અવિચાર.
અહીં સાધક દ્રવ્યના એક જ પર્યાયમાં ઊંડો ઊતરે છે. આ ધ્યાન અવિચાર હોવાથી અહીં શબ્દથી અર્થમાં કે એવો કોઈ ઉપયોગાન્તર થવાનો નથી. અને ધ્યાતા ધ્યેયમાં પોતાની ચેતનાને પૂર્ણતયા ડૂબાડી દેતો હોઈ અહીં ધ્યાતા અને ધ્યેયનું એકત્વ થયેલ છે.
એટલે કે એક જ પર્યાયમાં (ઉત્પાદ, વ્યય આદિ કે રૂપી, અરૂપી કે નિત્યત્વ, અનિત્યત્વ આદિ પર્યાયોમાંથી કોઈ પણ એક પર્યાયમાં) મૃતનું આલંબન લઈ ઊંડા ઊતરી જવું તે શુક્લધ્યાનનો બીજો પ્રકાર.
શુક્લધ્યાનનો ત્રીજો પ્રકાર : સૂક્ષ્મ ક્રિયા અનિવર્સી. મોક્ષ પામવાને
૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org