SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી જિમ શ્રી મહાવીર નિં શ્રેણિક, રૂખનિ રતનરિદા રે; તિમ શ્રી રાજ્રસાગરસૂરીતિ, સાડ઼ સહુકિરણના નંદા રે. દિ૦ ૨૫ સુહસ્તિસૂરિનિ સંપ્રતિરાજા, અકમ્મર હીરસૂરિનિ રે; ધરઘોષનિ' વિમલમ વંશા, તિમ શાંતી રાજસૂરિનિ રે. ક્રિ૦ ૨૬ નેમિનાથનિ' કૃષ્ણનરેશ', શ્રી અપટ્ટિનિ. આમ રે; તિમ શ્રી રાજસાગરસૂરીનિ', સાહ શાંતીદાસ સુખ ઠામ રે. ક્રિ ૨૭ શાંતીદાસ અનિ' સૂરીની, કીરિત એઈ ભેલી રે; ઠામિ ઠામિ યમકતી ચાલઈ, જિમિ એ સુગુણુ સહેરી રે. ”િ ૨૮૯ આ બધી સરખામણીએ જ આચાર્ય શ્રી રાજસાગરસૂરિના શ્રી શાંતિદાસ શેઠ સાથેના ઘનિષ્ઠ ધર્માંસબંધનું સૂચન કરવા પૂરતી છે અને શ્રી શાંતિદાસ શેઠ પણ આ ઘનિષ્ઠ ધર્મસ''ધને જાળવી રાખવા માટે સંઘના હિતને લગતાં અને પોતાના ગુરુને ગમતાં કાર્યાં કરવામાં સદા પ્રવૃત્ત રહેતા. સાગરગચ્છની સ્થાપના આચાર્ય પદ પ્રાપ્ત થયા પછી રાજસાગરસૂરિજીએ જે સાગરગચ્છની સ્થાપના કરી હતી તેમાં પણ શ્રી શાંતિદાસ શેઠે અગ્રિમ ફાળા આપેલ. આ સાગરગચ્છની સ્થાપના થયા પછી તેને વિકાસ થાય તે માટે તેમણે શ્રાવકોને આ ગચ્છમાં આકષવા માટે સેનાના વેઢ, વી ટીઓ, પાઘડી, શેલાં વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી અને તેના પરિણામે લાખ લેકે તેમાં જોડાયા હતા. તદુપરાંત અમદાવાદ, ખ ભાત, પાટણ, સૂરત, વડોદરા, ડમાઈ, ભાવનગર, સાણંદ, મહેસાણા, રાંદેર વગેરે અનેક સ્થળેાએ સાગરગચ્છના ઉપાશ્રયે પણુ અંધાવ્યા હતા. ૧ ૧ શ્રી શાંતિદાસ શેઠના આચાર્ય શ્રી રાજસાગરસૂરિ સાથેના ઘનિષ્ઠ સ'ખ'ધની નોંધ શ્રી રત્નમણિરાવ ભીમરાવ આ રીતે લે છે: “ શાંતિદાસ શેઠના ગુરુ શ્રી રાજસાગરસૂરિ હતા. એ ઉપરથી શાંતિદાસ શેઠે સાગરગચ્છ નામના એક ગચ્છ કાઢયો હતા. શેઠનાં ધાર્મિક કાર્યોનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy