________________
ગુરુને આચાર્યપદવી ચુમ્માલીસ કડીઓમાં કરવામાં આવ્યું છે. તે મુજબ સં. ૧૮૮૬ના જેઠ માસમાં અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં શ્રી વિજયદેવસૂરિના હાથે શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદ આપવામાં આવ્યું અને તેમને “રાજસાગરસૂરિ' નામ અપાયું, કે જે નામથીજ પછી તેઓ ઓળખાવા લાગ્યા. રાસકાર જણાવે છે કે –
સંવત સેલ ક્યાસીઆ વર્ષે, હરખે જેઠ માસે રે, પરશે શનિ અનુરાધા ગઈ, સરખે સૂર પ્રકાસઈ. દિ૪ દેવવિજયસૂરીસર મટા, મોટું કીધું કામ રે; આચાર જ પદ દઈ વાચકનિ, રાજસાગરસૂરી દીધું નામ રે. દિ. ૭.”
આ પ્રસંગ ઉપર હાજર રહેલા અન્ય સાધુઓમાંથી કેટલાકનાં નામે પણ રાસકાર જણાવે છે. વળી શ્રી શાંતિદાસના ભાઈ વર્ધમાનના પુત્ર વસ્તુપાલે આ પ્રસંગે ખૂબ છૂટથી દ્રવ્ય ખચ્યું એ હકીકત પણ આ રાસમાં આ રીતે જણાવાઈ છે –
વસ્તુપાલ વધમાન તણો સુત, લિઈ લખમીને લાહે રે.
હાં રે ભાઈ મનમાં ઘણે ઉમા. દિ. ૩૮ બંને વચ્ચેના ઘનિષ્ઠ સંબંધ
આ પ્રસંગમાં જેમને માટે અને મુખ્ય સાથે હતે એવા શ્રી શાંતિદાસની ઓળખાણ આપતાં અહીં જણાવાયું છે કે શ્રી શાંતિદાસને દિલીપતિએ ખુશ થઈને શિરપાવ આપ્યું હતું, હાથી-ઘડા ભેટ આપ્યા હતા. જહાંગીરે તેને સત્કાર કરે. વળી લાખ રૂપિયાના ખર્ચ તેમણે ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર બંધાવેલું, અને પિતાના દ્રવ્યથી જૈન અને અન્ય ગરીબ પ્રજાને તેમણે ઉદ્ધાર કરેલ. ઉમરાવે તેમને માન આપતા. રાજસાગરસૂરિના જીવનમાં શ્રી શાંતિદાસ ઝવેરીનું સ્થાન કેવા પ્રકારનું હતું તેનું વર્ણન કરતાં રાસકાર અનેક સુપ્રસિદ્ધ દષ્ટાંત આપતાં આ જ ઢાળમાં જણાવે છે કે – સિદ્ધસેનનિ વિક્રમરાજા, હેમનિ કુમારનરિદા રે, તિમ શ્રી રાજસાગરસૂરીનિ, સાહિ સહસકિરણના નંદા રે. દિ. ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org