SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પર્ નગરશેઠ શાંતિદાસ ઝવેરી છે, અને જે પ્રજાનું જ કલ્યાણ, રક્ષણ કરવા સદા તન, મન, ધનથી તત્પર રહે છે, તેમને પછી રાજ્ય-અમલદાર, તેમ જ રાજ્યાધીશ પૂર્ણ માન આપે જ એમાં કંઈ આશ્ચય નથી. પ્રજાના હિતની સાથે જે રાજ્યનું પણ ભલું ચાહે છે, તે રાજ્ય અને પ્રજા બંને તરફથી માન–મરતા મેળવે છે. અને આવી રીતે બન્નેનું ભલું ચાહનાર જગતમાં કોઈ વિરલા જ હાય છે.”છ શ્રી કૃષ્ણલાલ મા. ઝવેરી પણ તેમના વ્યક્તિત્વના આ પાસા પર પ્રકાશ ફેંકતાં જણાવે છે: “ તેઓ રાજા અને પ્રજા બંને દ્વારા એકસરખું માન પામ્યા હતા.” ભાવિક શ્રાવક શ્રી શાંતિદાસ ઝવેરી શેઠશ્રી શાંતિદાસ ઝવેરી પોતે એક શ્રાવક હતા. અને શ્રાવક હાવાના નાતે તેએ શ્રાવકના ધર્માં યગ્ય રીતે પાળતા હતા, તેના ખ્યાલ શ્રીયુત ડુંગરશીભાઈ સ’પટ આપણને આ શબ્દોમાં આપે છે “ એક ભાવિક શ્રાવક તરીકે એએ નિયમિત ઉપાશ્રયે જઈ ગુરુને ઉપદેશ સાંભળતા હતા. તેા, પચ્ચખાણેા કરતા અને ગુરુભક્તિમાં અતિ ઉત્સાહથી ભાગ લેતા....શાંતિદાસ શેઠે અમદાવાદ, રાધનપુર, ખંભાત, સુરતમાં ખરતરગચ્છના ઉપાશ્રયે અધાવેલા અને પદવીપ્રદાનમહેાત્સવમાં પુષ્કળ દ્રવ્ય ખચેલ હતું.”૯ આના પરથી આપણને ખ્યાલ આવે છે કે એક સફળ વેપારી, ઝવેરી, શરાફ, રાજકારણી હોવા છતાં તેએ અગ્રણી જૈન શ્રાવક પણ હતા. પોતાને મળેલા ધનના જૈન ધર્મોના વિકાસ માટે ઉદારતાપૂર્ણાંક સર્વ્યય કરવાનું તેઓ ચૂકતા ન હતા. પ્રથમ ધાર્મિક પ્રસંગ શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના જીવનના સૌ પ્રથમ ધામિર્થંક પ્રસંગના ઉલ્લેખ કરતાં પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કેમિસેરિયેટ જણાવે છે : “ શ્રી ચિંતામણિ પ્રશસ્તિ’૧૦માં નોંધવામાં આવ્યું છે તે મુજબ સંવત ૧૯૬૯ (ઈ. સ. ૧૬૧૨-૧૩)માં શ્રી શાંતિદાસે શત્રુ 6 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy