SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘપતિ શ્રી શાંતિદાસ ધર્મપરાયણ વેપારી - શ્રી શાંતિદાસ ઝવેરીને એક વેપારી તરીકેના આ વર્ણન પરથી કોઈ રખે એમ માની લે, કે તેઓ માત્ર ધન કમાનાર અને પિતાનું જ હિત જેનાર વ્યક્તિ હતા. ઊલટું, તેમણે રાજદરબારમાં જે સત્તા મેળવી હતી તે સત્તાને ઉપગ પિતાના ધર્મના તથા પ્રજાના વિકાસમાં કેવી રીતે થઈ શકે તેને વિચાર તેઓ સતત કર્યા કરતા. અને આ વિચારના પરિણામરૂપે તેઓ પ્રજાના હિતને સાધવા માટે -નક્કર કાર્યો પણ કરતા હતા. એ સવાલ વંશના વંશજ હોવાના નાતે આ પ્રકારનાં વિચારે અને કાર્યો તેમના માટે સહજ અને સ્વાભાવિક હતા એમ પણ કહી શકાય. શ્રી કેમિસેરિયેટના શબ્દોમાં કહીએ તે, શાંતિદાસ ખૂબ ધર્મપરાયણ જૈન હતા અને પિતાની શ્રદ્ધા સાથે સંકળાયેલા હેતુઓ માટે પિતાનાં વિશાળ સાધનને તેમણે છૂટથી ઉપગ કર્યો હતો.” અન્યત્ર પણ શ્રી કેમિસેરિયેટ વેપારીઓમાં અગ્રેસર એવા શેઠશ્રી શાંતિદાસના ધાર્મિક પાસાને પરિચય આપતાં જણાવે છે ? પિતાની સુદીર્ઘ અને સક્રિય કારકિદી દરમ્યાન શાંતિદાસે ભારત-ભરમાં, ધાર્મિક અને ઔદ્યોગિક – બંને હેતુઓ માટે, ખૂબ પ્રવાસ ખેડયો જણાય છે કારણ કે તેઓ તેમના સમયના આગળ પડતા ઝવેરીઓ અને નાણાં ધીરનારાઓમાંના જ એક ન હતા, પરંતુ એક ચુસ્ત જૈન નેતા તરીકે જૈનધર્મનાં પવિત્ર તીર્થોની વારંવાર યાત્રા. કરવી તેને તેઓ પિતાની ફરજ સમજતા હતા.” -રાજા અને પ્રજા સાથેના તેમના સંબ છે શ્રેષ્ઠિશ્રી શાંતિદાસ રાજા તેમ જ પ્રજા બંને સાથે જે પ્રકારના સંબંધ રાખતા, તે અંગે વિશેષ માહિતી આપણને શ્રીયુત મેહનલિલ દલીચંદ દેશાઈ આ રીતે આપે છે : “...શાંતિદાસને પ્રજા સાથે ઘણે ઉદાર અને વિશાલ સંબંધ હતું, તેમજ રાજાઓને અને ઠેઠ બાદશાહને આશ્રય ઘણે હતે. જેની પાછળ સમગ્ર પ્રજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy