SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ નગશેઠ શાંતિદાસ ઝવેરી (ii) રાજસભાના અટપટા પ્રશ્નને જવાબ આપનાર શ્રી શાંતિદાસ ક્યાં હતા એ પ્રશ્નનો જવાબ મ પ્રસંગ પ્રમાણે જોઈએ તે યુવાન ઝવેરી તરીકે શ્રી શાંતિદાસ “આ હીરાનું મૂલ્ય કેટલું ?' એ પ્રશ્ન પુછાયે ત્યારે રાજસભામાં જ હાજર હતા. ૨ પ્રસંગ પ્રમાણે ઝવેરનું પારખું કરવાને પ્રશ્ન રાજાએ રાજંદરબારના ઝવેરીને કર્યો ત્યારે તેમને તેને જવાબ ન જડવાથી અને અચાનક શ્રી શાંતિદાસ સાથે મેળાપ થવાથી તેમને આ પ્રશ્નનો જવાબ આપવા આગળ કરે છે. જ્યારે જ પ્રસંગ પ્રમાણે શ્રી શાંતિદાસ કોઈ ઝવેરીને ત્યાં ઊતરે છે અને ઝવેરી રાજાની કિંમત કરવાના પ્રશ્નથી મૂઝાય છે ત્યારે પિતાની વિચક્ષણ બુદ્ધિથી તેમની વહારે જાય છે. સુ પ્રસંગમાં શ્રી શાંતિદાસ પિતે રાજદરબારમાં હતા કે કોઈ ઝવેરીને ત્યાં હતા તેને ઉલ્લેખ નથી. (iii) શ્રી શાંતિદાસ ઝવેરીને કયા મેગલ રાજાના દરબારમાં શાહી ઝવેરીનું સ્થાન પ્રાપ્ત થયું એ પ્રશ્નના જવાબમાં પણ મતભેદ છે. ૩૫ પ્રસંગ પ્રમાણે શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ અકબર બાદશાહનું નામ આપે છે. વે પ્રસંગ રજૂ કરતાં શ્રી મગનલાલ વખતચંદ કઈ પણ રાજાનું નામ આપતા નથી. વરુ અને પ્રસંગમાં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ જહાંગીરને ઉલ્લેખ કરે છે. આમાં જહાંગીરના રાજદરબારમાં શ્રી શાંતિદાસને ઝવેરી તરીકેનું માન પ્રાપ્ત થાય છે તે મતના બદલે બાદશાહ અકબરના રાજદરબારમાં યુવાન વયે શ્રી શાંતિ દાસ ઝવેરી તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે છે તે મત સાચો જણાય છે. [ જુઓ : (i) પ્રપૂ', પૃ. ૯; (ii) પઈ', પૃ. ૧૨૭] ૮. “પ્ર', . ૯ ૯ જુઓ ઃ (i) પ્રપૂ', પૃ. ૧૩ થી ૧૭; (ii) “તીરા' પૃ. ૭ થી ૯. (તેમાં બેગમનું નામ જોધાબાઈ આપવામાં આવ્યું છે.) ૧૦. “અઈ' પુસ્તકમાં પૃ. ૨૭૪-૨૭૫ ઉપર આ પ્રસંગ રજૂ થયેલ છે. તે સમયની ગુજરાતી ભાષાના નમૂના તરીકે આ લખાણ રસપ્રદ બની શકે તેવું હેવાથી તેને ઉતારો અહીં આવે છે : પછી સતીદસ બાદશાના દરબારમાં આવતા જતા થઆ મેં બાદશાના માંનીતા થઆને રેહેતાં રહેતાં તેમના જનાનખાનાંમાં જવા લાગા ને રાણીઓને બેહેન કહીને બેવાવી. પછી દહાડે દહાડે હેત વધતું ગયું. રાણીઓએ પિતાના સગા ભાઈ કરતાં સાંતીદાસને આલે ગણવા માડયા. સાંતીદાસ તો ઘણું દહાડા રહ્યા પછી રાંશુ ઓને કહીએ કે એ બહેને હવે હું તો અડીઆંથો જઈશ. તારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy