SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શાહી ઝવેરી અને નગરશેઠ ૪૩ હેવાથી, તે વિષે વધુ જણાવી ઉમે મૂળ રાસથી વેગળા જવું યોગ્ય ધારતા નથી.” (“જૈસામા', સમાલોચના, પૃ. ) નોંધ – “જેરામાં ના આધારે “ભૂપાઅ માં પૂ. ૭૩૫ ઉપર શ્રી રત્નમણિ રાવ ભીમરાવ પણ આ જ પ્રસંગ નોધે છે. ૪. જુઓ : “જૈરામા', સમાલોચના, પૃ. ૬. ‘ગૂપાઅમાં પૃ. ૭૭૫ ઉપર “જેરામા’ના આધારે આ પ્રસંગ નેંધવામાં આવ્યા છે. ૫. શ્રી શાંતિદાસ શેઠને ચિ તામણિ મંત્રનો પ્રભાવ કઈ રીતે પ્રાપ્ત થયું તે પ્રસંગ આ જ પુસ્તકના “શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર' નામે આઠમા પ્રકરણમાં નેધવામાં આવ્યું છે. ૬. “જૈપઈ'માં પૃ. ૧૨૭ ઉપર આવો જ એક પ્રસંગ નેધતાં જણાવવા માં આવ્યું છે : “શેઠ શાંતિદાસ ઝવેરી... આગરા ગયા ત્યારે બાદશાહ અબ્બરે પિતાના રાજદરબારમાં સૌ ઝવેરીઓને બેલાવ્યા હતા. તેમણે ત્યાં મેતીની સાચી પરીક્ષા કરી બતાવી અને તેની વાજબી કિંમત પણ જણાવી મેટી નામના પ્રાપ્ત કરી. તેમને મેગલ દરબારમાં મેટાં માન-સમ્માન મળ્યાં અને બાદશાહ અકબરે તેમને પણું ઝવેરીની પદવીથી નવાજ્યા.” આમાં દર્શાવેલ મોતીની પરીક્ષા કર્યાની વાતને બીજે કયાંયથી સમર્થન મળતું નથી. તેમ જ કેવી રીતે મોતીની પરીક્ષા કરી તેને પણ સ્પષ્ટ નિર્દેશ થે નથી. છતાં અકબર બાદશાહના દરબારમાં તેમને આવા પ્રસંગથી ઝવેરીની. પદવી પ્રાપ્ત થઈ તેનું સૂચન મળે છે. * ૭. આ વિગતભેદો નીચે પ્રમાણે દર્શાવી શકાય ? (i) શ્રી શાંતિદાસને ઝવેરી તરીકેનું સ્થાન કેવી રીતે મળ્યું તે અંગે ચારે ય પ્રસંગમાં વિવિધ માહિતી મળે છે. એ પ્રસંગ પ્રમાણે રાજા ઝવેરીઓ સમક્ષ અમૂલ્ય હીરે રજૂ કરીને તેનું મૂલ્ય કરવાનું જણાવે છે, જેમાં યુવાન શ્રી શાંતિદાસ સફળ થાય છે અને ઝવેરી તરીકેનું સ્થાન મેળવે છે. શ્રી મગનલાલ વખતચ દે રજૂ કરેલા = પ્રસંગ પ્રમાણે રાજા જે ઝવેર રજૂ કરે છે તેમાં કીડો હોવાની વાત શ્રી શાંતિદાસ કરે છે અને ઝવેરી તરીકે ઉચ્ચ સરપાવ મેળવે છે. જ્યારે # પ્રસંગ પ્રમાણે રાજાના વિચિત્ર પ્રશ્ન “મારી કિંમત કરે એને જવાબ આપવામાં વિચક્ષણ શાંતિદાસ સફળ થાય છે અને બાદશાહ તેનાથી ખુશ થાય છે. ૩ પ્રસંગ પ્રમાણે એકસરખા જણાતા ચાર ગોળામાંથી શ્રી શાંતિદાસ સૌથી મૂલ્યવાન ગોળ શેધી શકે છે અને બાદશાહની પ્રશંસા પ્રાપ્ત કરે છે. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy