SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેશાંતિદાએ ઝવેરી ઉત્તરાર્ધના પહેલા દસકા આસપાસથી અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રભાવ દિલ્લી અને ગુજરાતના શાસકે ઉપર, જૈન સંઘમાં તેમ જ પ્રજામાં ધીમે ધીમે વિસ્તરવા લાગ્યું હતું, અને એમની ધર્મ માટેની ધગશ, કાર્યકુશળતા, બાહોશી અને રાજદ્વારી કુનેહને લીધે તેઓ ભારતના જૈન સંઘના મુખ્ય અગ્રણી બન્યા હતા, અને મુગલ રાજશાસક પાસે પણ એમનું ઘણું ચલણ હતું.” (૪) શ્રી ડુંગરશીભાઈ સંપટ અમદાવાદના પ્રથમ કોટિના વેપારી નાગરિકોમાં શ્રી શાંતિદાસ, ઝવેરી પિતે મેળવેલા નગરશેઠ પદને કેવી રીતે સાર્થક કરતા. અને કેવી કુશળતાપૂર્વક તેઓ કાર્ય કરતા તેને ખ્યાલ આપતાં શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ જણાવે છેઃ “મહાજનના અગ્રેસર અને નગરશેઠ તરીકેની ફરજો બજાવવામાં એમને ઘણો સમય જતે. વેપારીઓના પરસ્પરના ઝઘડામાં ઘણું કરી એઓ પંચ તરીકે નીમાતા હતા. વેપારનું ઊંડું જ્ઞાન, સારી સમજાવટ, ન્યાય કરવાની સાદી સમજ અને સનેહથી તેઓ અનેક વાંધા, તકરારોને સંતોષકારક નિવેડે લાવતા હતા. પોતે હજી યુવાન હતા તથાપિ એમનામાં વૃદ્ધો જેવી ગંભીરતા હતી. ધીરજ અને શાંતિથી વિચારપૂર્વક કાર્ય કરતા હતા. અમદાવાદની પાંજરાપોળને વહીવટ પણ તેઓ જ સંભળાતા અને નિખાલસભાવે કામ કરતા હતા.૨૧ (૫) શ્રી રત્નમણિરાવ ભીમરાવ અમદાવાદમાં વેપારીઓમાં શ્રી શાંતિદાસ ઝવેરીના અગ્રીમ સ્થાનને બિરદાવતાં પ્રસિદ્ધ વિદ્વાન શ્રી રત્નમણિરાવ પણ જણાવે છેઃ અમદાવાદના ઈતિહાસમાં સંત અને સુલતાનેનું જેવું સ્થાન છે એવું જ ઊંચું સ્થાન અમદાવાદને આબાદ રાખનાર શાહ-વેપારીઓનું છે. અનેક પેટા મેટા વેપારીઓ આ અમદાવાદ શહેરમાં થઈ ગયા છે.......અનેક મોટા વેપારીઓ વિષે આપણે કાંઈ પણ જાણ તા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy