SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ નગરશેઠ શાંતિદાસ ઝવેરી અકબરના જનાનખાનામાં, બેગ મેાના વિશ્વાસુ ઝવેરી તરીકે સારી ચાહના પ્રાપ્ત કરી. એક વખતની વાત છે. અકબર બાદશાહનાં બેગમ રિસાઈ ને દ્વિલ્હી છેડીને અમદાવાદ આવ્યાં હતાં. તેઓ બાદશાહને ખબર કર્યાં વગર અને માદશાહની અનુમતિ લીધા વગર જ અમદાવાદ આવ્યાં હતાં, એટલે સૂબા, અમલદાર કે કોઈ રાજદ્વારી વ્યક્તિથી તેા તેમની ખાતરબરદાસ્ત કરી શકાય એમ હતું નહી.. શ્રી શાંતિદાસ ઝવેરી આ વખતે અમદાવાદમાં હતા, આથી બેગમસાહેમાની આગતાસ્વાગતાની જવાબદારી શાંતિદાસ ઝવેરીને સોંપવામાં આવી. સમયસપારખુ શ્રી શાંતિદાસે બેગમસાહેબા માટે પોતાની હવેલી ખાલી કરી આપી અને તેમની તહેનાતમાં અનેક માણુસા રકીને તેમને ખૂબ સુખચેનપૂર્ણાંક રાખવાની વ્યવસ્થા કરી આપી. આ આગતાસ્વાગતાથી ખુશ થઈને બેગમે શાંતિદાસ ઝવેરીને પોતાના ભાઈ બનાવ્યા અને ભાઈ એ પણ ખુશ થઈને બહેન માનેલાં બેગમસાહેબાને ખૂબ જ મૂલ્યવાન એવાં રત્નજડિત કંકણેા વીરપસલીમાં ભેટ આપ્યાં. ' એએક માસ પછી ટ્ઠિલ્હીથી અકબર બાદશાહે બેગમસાહેબાને તેડવા માટે પેાતાના શાહજાદા સલીમ(જહાંગીર)ને માકલ્યા. બેગમ અને બાદશાહ વચ્ચે સલીમના ઉચ્છ′ખલ વર્તન બદલ જ ઝઘડો થયા હતા. બેગમની બાદશાહ સામે ફરિયાદ એ હતી કે તે સલીમને સુધારવા માટે વધુ સખ્ત પગલાં લેતાં હતાં. એમાંથી બન્ને વચ્ચે મનદુ:ખ ઊભું થયું હતું. પણ છેવટે એનું સમાધાન થતાં સલીમ એગમને (પાતાની માતાને) તેડવા માટે અમદાવાદ આવ્યા ત્યારે બેગમસાહેબાએ ખૂમ મન અને આદરની લાગણી સાથે શ્રી શાંતિદાસ ઝવેરીની એાળખાણુ સલીમને તેના મામા તરીકે કરાવી. ત્યારથી દ્વિલ્હીના બાદશાહી કુટુંબમાં શ્રી શાંતિદાસ શેઠ ‘ઝવેરીમમ્મા ’ તરીકે ઓળખવા લાગ્યા. એગમે દિલ્હી પહેાંચ્યા પછી અકબર બાદશાહને શાંતિદાસે પાતાની જે ભવ્ય ખાતરબરદાસ્ત કરેલી તે અંગે વાત કરતાં અકબરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy