SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ શાહી ઝવેરી અને નગરો હજુ વધારે ઐતિહાસિક આધારે જરૂરી ગણાય. એટલે એ વિવાદને બાજુએ રાખીએ તે આ બધા પ્રસંગો ઉપરથી, વધુ નહીં તે એટલું તે અવશ્ય સૂચિત થાય છે કે, પોતાની નાની ઉંમરમાં જ શ્રી શાંતિદાસે મોગલ રાજદરબારમાં ઝવેરી તરીકે સારી કુશળતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. વળી પિતાનાં વાણી અને વ્યવહાર વડે સામી વ્યક્તિને મુગ્ધ કરવાની આવડતને લીધે અને ઝવેરી તરીકેની હોશિયારીને લીધે તેમણે બાદશાહ અકબરના રાજદરબારમાં નાની ઉંમરથી સ્વપ્રયત્ન જ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી શાંતિદાસ શેઠના આવા ઉન્નત વ્યક્તિત્વ માટે શ્રીયુત્ ડુંગરશીભાઈ સંપટ ઠીક જ હેક છે કે, “એની પ્રસન્ન મુખમુદ્રા, શાંત સ્વભાવ, મીઠી આકર્ષક વાત કરવાની ઢબ અને સજજન વ્યવહાર સહુને મુગ્ધ કરતાં હતા.૮ નગશેમ્પદ જેમ શ્રી શાંતિદાસ શેઠને રાજદરબારમાં ઝવેરી તરીકે સ્થાન મળવા અંગે વિવિધ પ્રસંગે પ્રાપ્ત થાય છે તેમ શ્રી શાંતિદાસ શેઠને અમદાવાદનું નગરશેઠ પદ કેવી રીતે મળ્યું તે અંગે પણ એકથી વધુ પ્રસંગે પ્રાપ્ત થાય છે. રાજકુટુંબમાં એક ઝવેરી તરીકે પ્રવેશીને રાજકુટુંબ સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ બાંધવામાં શ્રી શાંતિદાસ ઝવેરી જે સફળતા પ્રાપ્ત કરે છે તેનું સૂચન આ પ્રસંગે દ્વારા થાય જ છે. (અ) બેગમ રિસાયા-ઝવેરીમમ્મા-અકબર બાદશાહે નગરશેઠપદ - આપ્યું હીરાનું મૂલ્ય કેટલું?” એ પ્રસંગ નોંધ્યા પછી યુવાન શ્રી શાંતિદાસ ઝવેરી રાજદરબારમાં કેવી રીતે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને શાહી કુટુંબ સાથે ઘરોબે કેળવીને નગરશેઠપદ કેવી રીતે પ્રાપ્ત કરે છે તે અંગે શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ નીચેને પ્રસંગ નેધે છે. “ અકબર બાદશાહના રાજદરબારમાં હીરાનું ચોક્કસ મૂલ્ય દર્શાવીને દશાહી ઝવેરીનું સ્થાન મેળવ્યા પછી શ્રી શાંતિદાસ ઝવેરી બાદશાહને અવારનવાર ઝવેરાત પૂરું પાડતા. તેમ કરતાં કરતાં તેઓએ, બાદશાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy