________________
શાહી ઝવેરી અને નગરશેઠ ઝવેરીને ત્યાં પતે ઊતર્યા હતા તે વખતને આ પ્રસંગ છે. બાદશાહ જહાંગીરે એક વખત પિતાની રાજસભામાં પ્રશ્ન કર્યો: “મારી કિમત કરે.” આ વિચિત્ર પ્રશ્ન સાંભળીને સભા દંગ થઈ ગઈ. આ સવાલને તત્કાલ કઈ જવાબ ન જડવાથી સભામાંથી કેઈકે કહ્યું
આપ તે એક કીમતી જવાહિર છે અને જવાહિરની કિંમત તે ઝવેરી જ કરી શકે” તેથી ઝવેરીઓને બોલાવીને તેમની સમક્ષ પણ આ જ પ્રશ્ન મૂકવામાં આવ્યું. બાદશાહની કિંમત ઝવેરાતના કયા શાસ્ત્ર અને કયા નિયમોના આધારે કરવી તેની સૂઝ ઝવેરીઓને ન પડવાથી એમણે એક અઠવાડિયાની મહેતલ માંગી. દરમ્યાનમાં યુવાન શાંતિદાસ દિલ્હીમાં જે ઝવેરીને ત્યાં ઊતર્યા હતા તેની પાસેથી આ વાત જાણીને રાજાને જવાબ આપવાની જવાબદારી શાંતિદાસે પિતાને શિરે લઈ લીધી. મુદત પૂરી થતાં ઝવેરીએ શાંતિદાસને સારાં કપડાં પહેરાવીને રાજસભામાં લઈ ગયા અને બાદશાહના પ્રશ્નના જવાબરૂપે જણાવ્યું : “તમારી કિંમત તે આ નાને છેકરે પણુ (શાંતિદાસ તરફ આંગળી કરીને) દર્શાવી શકે.”
પછી શાંતિદાસે રાજાને પૂછયું : “આપની કિંમત સભામાં કરું કે ખાનગીમાં?” રાજાએ સભામાં પોતાની કિંમત કરવાનું કહેતાં શાંતિદાસે ઝવેરાત જોખવાને કાંટો કાઢીને તેના એક પલ્લામાં એક રતિ મૂકી અને બીજા પલ્લામાં પણ એક રતિ મૂકી. ત્રાજવાનાં બંને પલ્લાં સરખાં થયાં. વળી એક બાજુના પલ્લામાં બીજી એક રતિ મૂકતાં તે બાજુનું પલ્લું નમી ગયું. આ ત્રાજવાને દર્શાવીને શાંતિદાસે બાદશાહને જણાવ્યું : “આપનું મૂલ્ય થઈ ચૂકયું.” બાદશાહને કંઈ સમજ ન પડવાથી જવાબમાં શાંતિદાસે બાદશાહને જણાવ્યું : “આપનું મૂલ્ય રતિ છે, માત્ર રતિ! ત્રાજવામાં બંને પલ્લામાં પહેલાં એક એક રીત હતી, તે રીતે બાદશાહ અને પ્રજા બધાં મનુષ્ય જ છે, બધાંને એક જ સરખી ઈન્દ્રિ અને શક્તિઓ છે. પરંતુ, તેમ છતાં, બીજાં બધાં રૈયત છે અને આપ તેમના પર રાજ્ય કરનાર રાજા છે, તે આ અંતર આપનામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org