SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ , નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઝવેરીને થયું કે હવે આપણું આવી બન્યું. તેમાંથી છૂટવા માટે તેણે રાજાને એ જવાબ આપેઃ “અમારા ઝવેરી-મહાજનમાં એક શેઠિયાને ઝવેરનું પારખું કરતાં સારું આવડે છે, એટલે કાલે તેને લઈને ને આવીશું.” આમ કહીને તે ઝવેરી એક દિવસ પૂરતે તે બચી ગયે. ઘેર જઈને તે આવા કેઈ માણસની શોધમાં ફરે છે ત્યારે તેને આ શાંતિદાસ મળે છે. ઝવેરીએ શાંતિદાસને પૂછયું : “તમે કયા ગામના છે અને શું ધંધે કરે છે?” ત્યારે શાંતિદાસે ગપ મારી ઃ “અમે ઝવેરીને ધધ કરીએ છીએ.” આ સાંભળીને ઝવેરીએ શાંતિદાસને રાજા પાસે આવવાની વિનંતી કરતાં શાંતિદાસે હા પાડી. અને ઝવેરી બીજે દિવસે શાંતિદાસને સારાં કપડાં પહેરાવીને રાજદરબારમાં લઈ ગયા. એણે શાંતિદાસને પિતાના ખાસ માણસ તરીકે ઓળખાવ્યા. બાદશાહે આપેલ ઝવેરને સારી પેઠે તપાસીને શાંતિદાસે જણાવ્યું : “એ ઝવેરમાં તે કીડે છે. અને તે ઝવેરને ભાંગી જોતાં તેમાંથી ખરેખર કીડા જે કટકે નીકળે પણ ખરે. આદશાહે સેનાના કડા ને પાલખી વગેરેને સરપાવ પણ શાંતિદાસ શેઠને આપે, અને તે પછી શાંતિદાસ બાદશાહના દરબારમાં જતાઆવતા થયા. આ પ્રસંગ પછી શાંતિદાસ શેઠની વગ રાજદરબારમાં કેવી રીતે વધતી ગઈ અને તેમને અમદાવાદની નગરશેઠાઈ કેવી રીતે મળી તે વાત નોંધતા પહેલાં તેમણે રાજદરબારમાં ઝવેરી તરીકે મેળવેલ સ્થાન માટે પ્રચલિત વધુ એક પ્રસંગની નોંધ લઈએ (ક) “મારી કિંમત કરે છે શ્રી શાંતિદાસ ઝવેરીને રાજદરબારમાં સ્થાન કેવી રીતે મળ્યું તે પ્રસંગ નેંધતાં શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ બાદશાડ તરીકે અકબર નહીં પણ જહાંગીરને ઉલ્લેખ કરે છે તે ખાસ નેધપાત્ર છે. બાદશાહ અકબરના મૃત્યુ બાદ જહાંગીર બાદશાહ ગાદીનશીન થયા પછી શ્રી શાંતિદાસ યુવાન વયમાં દિલ્હી ગયા હતા અને એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy