________________
શાહી ઝવેરી અને નગરશેઠ - આ રીતે હીરાની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ એણે તેની ચેકસ કિંમત મનમાં નક્કી કરી લીધી અને હીરાની કિમત કહેવા. માટે શહેનશાહની રજા માગી, અને અનુમતિ મળતાં ઊછરતી. ઉંમરના એ ઝવેરીએ એની કિંમત કહી બતાવી. તેને જવાબ સાંભળીને સમ્રાટ અકબરે આ જવાબ તેણે શાના આધારે આપ્યો તે અંગે પૂછપરછ કરી. જુવાન તે અંગે પણ સ્વયં સ્પષ્ટ જ હતે. તેણે તરત જ પિતાની પાસેથી, રત્નની પરીક્ષા કરવા અંગે અપભ્રંશ ભાષામાં રચાયેલ “રત્નપરીક્ષામીમાંસા” નામે ગ્રંથ બાદશાહ સમક્ષ ધરી દીધે.
યુવાનની હેશિયારી, રત્નની પરીક્ષાનાં શાસ્ત્રોનું જ્ઞાન, વાત કરવાની ઢબ વગેરેથી બાદશાહ અકબર ખૂબ ખુશ થયે. તેણે પિતાની રાજસભાના ઝવેરીઓને આ નવા, અજાણ્યા, યુવાન ઝવેરી અંગે પૂછપરછ કરતાં તેને જાણવા મળ્યું કે તે અમદાવાદને વતની છે અને એનું નામ શાંતિદાસ છે. બાદશાહ અકબરે પ્રસન્ન થઈને મહામૂલી કાશમીરી શાલ પિતાના હાથે આ યુવાન શાંતિદાસને ઓઢાડી. આમ અકબર બાદશાહની મહેરબાનીથી જ શાંતિદાસને “પાદશાહી ઝવેરી” તરીકેનું બિરુદ મળ્યું.
આ પ્રસંગ પછી શ્રી શાંતિદાસ ઝવેરીના રાજકુટુંબ સાથેના સંબંધે કેવા વધતા ગયા અને તેમાંથી તેમને નગરશેઠ૫દ કેવી રીતે પ્રાપ્ત થયું તેની વિગતે આ જ પ્રકરણમાં આપણે આગળ નેધીશું. (બ) ઝવેરમાં કીડાને પ્રસંગ
- રત્નપરીક્ષાને આ જ એક પ્રસંગ, આનાથી જરા જુદી રીતે શ્રી મગનલાલ વખતચંદ રજૂ કરે છે ? તેઓના જણાવ્યા પ્રમાણે એક વાર દિલ્હીમાં બાદશાહે (અકબર કે જહાંગીર એવું સ્પષ્ટ નામ રજૂ કર્યું નથી) પિતાના દિલ્હીના રાજદરબારના ઝવેરીને લાવીને કહ્યું :
અમારી પાસે એક ઝવેર છે તેનું પારખું કરી આપે, અને જે. પારખું બરાબર નહીં કરે તે તમારે જીવ લઈશું.” તે વખતે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org