________________
શાહી ઝવેરી અને નગરશેઠ
ત્રણ-ચાર મોગલ બાદશાહ સાથે જેમને ઘનિષ્ઠ સંબંધ હતે તેવા શ્રી શાંતિદાસ શેઠને રાજદરબારમાં શાહી ઝવેરી તરીકેનું સ્થાન કેવી રીતે પ્રાપ્ત થયું તે અંગે જુદાં જુદાં પુસ્તકોમાંથી થોડા થોડા ફેરફારવાળી ઘટનાઓ પ્રાપ્ત થાય છે. આ ઘટનામાં નાની નાની વિગતેમાં તફાવત જોવા મળે છે, પણ તે બધી ઘટનાઓ શ્રી શાંતિદાસ શેઠને રાજદરબારમાં કેવી રીતે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું તેનું સૂચન કરી જાય છે. એટલે આ બધી ઘટનાઓની મદદ વડે શ્રી શાંતિદાસ શેઠને મળેલ શાહી ઝવેરી તરીકેના દરજજાને વિચાર અત્રે કરીશું.
સાથે સાથે શ્રી શાંતિદાસ શેઠને રાજનગર – તે સમયે અમદાવાદને રાજનગર” તરીકે પણ ઓળખવામાં આવતું – નું નગરશેઠ૫દ કેવી રીતે પ્રાપ્ત થયું તે અંગે પણ નાના નાના વિગતભેદવાળી ઘટનાઓને અત્રે વિચાર કરીશું અને આ રીતે શ્રી શાંતિદાસ શેઠના રાજદ્વારી વ્યક્તિત્વને ખ્યાલ અહીં મેળવીશું.
અલબત્ત, શ્રી શાંતિદાસ શેઠના શાહી ઝવેરી તરીકેના વ્યક્તિત્વને ખ્યાલ આપતી ઘટનાઓ અને તેમને પ્રાપ્ત થયેલ નગરશેઠ૫દ અંગેની ઘટનાઓ વચ્ચે પણ સંબંધ છે. શાહી ઝવેરી તરીકે સ્થાપિત થયેલા શ્રી શાંતિદાસ શેઠને પિતાની રાજકીય સૂઝ અને રાજદ્વારી વ્યક્તિએને વિશ્વાસ સંપાદન કરવાની આવડતના કારણે રાજનગરનું નગરશેઠ૫દ પ્રાપ્ત થયું હતું એટલે આ બે બાબતે એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે તે અત્રે નેંધવું ઘટે. શાહી ઝવેરી - શ્રી શાંતિદાસને રાજદરબારમાં શાહી ઝવેરીનું સ્થાન કેવી રીતે મળ્યું તે અંગે વિવિધ પ્રસંગે નીચે પ્રમાણે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org