SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી - આ અરસામાં બનેલી જૈનધર્મ, તેના તીર્થ સ્થાને જૈન શાસન અને શ્રીસંઘને ઉદ્યોત કરનાર અનેક ઘટનાઓમાંથી કેટલીક મુખ્ય ઘટનાઓને ઉલ્લેખ કરીએ તે, શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીથેના માલિકી-હક્કોનાં અનેક ફરમાને જજિયાવે, યાત્રાળુવેર વગેરેની નાબૂદી અહિંસાપ્રવર્તનના સરકારી આદેશે; શત્રુંજયમાં સવાસમાની ઊંચામાં ઊંચી ટૂંકની સ્થાપના, ભદ્રેશ્વર અને બીજાં અનેક તીર્થોના જીર્ણોદ્ધાર અનેક રાજાઓને પ્રતિબંધ વગેરે ઘટનાઓ આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. . નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મેગલ રાજસત્તા દરમ્યાનની ભારતની સ્થિતિ અને તે સમયના જૈનધર્મ, જૈનધર્મના વિવિધ આચાર્યો અને શ્રાવકો વગેરે અંગે આટલી માહિતી પૂર્વભૂમિકા રૂપે મેળવ્યા બાદ, અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની યશસ્વી અને ઉજજવળ કામગીરી અંગે આપણે વિચારીએ તે પહેલાં એ હકીક્ત ધ્યાનમાં લઈએ કે એમને જન્મ મેગલ બાદશાહ અકબરના રાજ્યકાળના છેલ્લા એક કે બે દસકામાં થયે હતું, જહાંગીર અને શાહજહાંના સમૃદ્ધિના કાળમાં તેઓ ખૂબ સક્રિય રહ્યા અને છેલ્લા મેગલ રાજવી ઔરંગઝેબના રાજ્યકાળના પહેલા કે બીજા વર્ષમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરથી આપણને એ વાસ્તવિકતાને તરત જ ખ્યાલ આવી જશે કે, મંગલેના રાજ્યશાસનના સુવર્ણયુગ સમા જહાંગીર અને શાહજહાંના સમયમાં – જ્યારે જૈન શાસનને ઉદ્યોત કરનાર અનેક ગુરુમહારાજે તથા શ્રાવક શ્રેષ્ઠીઓ થઈ ગયા – નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી ખૂબ સક્રિય અને યશસ્વી જીવન જીવી ગયા હતા. ' રય રહ્યા અને છેલ્લા શાહજહાંના સમતિ એક કે બે દસકામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy