________________
ર
નગશેઠ શાંતિદ્યસ ઝવેરી
ભારતના રાજ્યના વહીવટ જહાંગીર અને શાહજહાંએ સારી રીતે કર્યાં હતા. આ ઉપરથી ઇતિહાસકારા અકબર, જહાંગીર અને શાહજહાંના સમયને ભારતની આબાદી અને જાહેાજલાલીના સુણ્યુગ તરીકે ઓળખાવે છે.
ઈ. સ. ૧૬૦૫માં અકબરનું મૃત્યુ થયા બાદ જહાંગીર રાજય-ગાદીએ આવ્યેા. જહાંગીરની ખૂબસૂરત મેગમ નૂરજહાંએ જોકે, જહાંગીરના પુત્રા અને સરદારોને અ ંદરોઅંદર લડાવવાના પ્રયત્ન કરેલા, છતાં એકદરે જહાંગીરના માવીસ વર્ષના રાજ્યકાળ ભારત માટે સુખ, સલામતી અને સમૃદ્ધિથી ભરેલા હતા.
જહાંગીરનું મૃત્યુ થતાં ઈ. સ. ૧૯૨૭–૨૮માં ગાદીવારસાનું યુદ્ધ લડીને શાહજહાં રાજગાદી પર આવ્યા હતા અને એણે અકબર અને જહાંગીરની રાજનીતિને ચાલુ રાખીને, રાજ્યપ્રદેશમાં વધારા કર્યાં વગર કુશળતાપૂર્વક ત્રણ દાયકા સુધી રાજ્ય કર્યું" હતુ. આમ છતાં શાહજહાંમાં કયારેક ધાર્મિ*ક અસહિષ્ણુતા આવી ગયાના પ્રસંગે પણ જોવા મળે છે, પણ તે બહુ આછા.
ઔર ગએમ
-
ભારત પર રાજ્ય કરનાર માગલ રાજવી ઔર ગઝેબ રાજ્યપ્રાપ્તિની અતિશય લાલસાને કારણે પેાતાના ત્રણ ભાઈ આ - દ્વારા, શુજા અને મુરાદયક્ષ – ને હરાવીને, અને તેમાંના એક ભાઈ મુરાદબક્ષની હત્યા કરીને તેમ જ ખીમાર પિતા શાહજહાંને કેદ કરીને લેાહીથી ખરડાયેલા હાથે ઈ. સ. ૧૬૫૮માં રાજગાદી પર આવ્યા હતા. ઔરંગઝેબ પેાતે એક નેક, ચુસ્ત, ઇસ્લામપરસ્ત રાજવી હતા. પેાતાના પૂર્વજોની વિશાળ રાજનીતિને ભૂલી જઈને એણે, સુલતાન બાદશાહેાની જેમ, ભારતની પ્રજા સાથે, ખાસ કરીને હિંદુએ સાથે, અન્યાયી અને ભેદભાવભરી રાજનીતિ ફરી વાર શરૂ કરી અને પેાતાના હાથે જ મુગલાઈના પાયા હચમચાવી નાખ્યા. રાજ્યના વિસ્તાર કરવાની અતિશય લાલસામાં ભાન ભૂલીને તેણે, લેામનાં દિલ જીતવાની દરકાર કરવાના બદલે લાકોનાં દિલ તેડીને, કેટલાક પ્રદેશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org