SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ હુમાતાનાની હિમણાઇ કારણ તે કારણે પ્રવેશ નગરશેઠ શાંતિદાસ ઝવેરી હળીમળીને રહી શક્યા. એક પરદેશી તરીકે જ સુલતાને ભારતમાં રહ્યા. અન્ય ધર્મો પર તેઓ સહિષ્ણુતા કેળવી ન શક્યા. * આથી વિરુદ્ધ, મેગલે ભારતમાં પરદેશી તરીકે રહેવા માગતા ન હતા. પિતાના ઈસ્લામ ધર્મ માટે તેમને આદર અને માન હવાની સાથે સાથે જ તેઓ અન્ય ધર્મો પરત્વે ઉદાર અને સહિષ્ણુ પણ હતા. તેમને પ્રયત્ન ભારતની પ્રજા સાથે ભળી જઈને, હિંદુ-મુસલમાન સંપથી રહે તે પ્રકારને હતે. " . હુમાયુને પુન:પ્રવેશ . - સુલતાનેની હિંદુઓ સાથેની આવી એરમાયી નીતિ હોવાને કારણે, તેમની આંતરિક નબળાઈને કારણે અને મેગલની હિંદુઓ. સાથે ભળી જવાની નીતિને કારણે, કે બીજા ગમે તે કારણે, હુમાયુએ ૧૪-૧૫ વર્ષ બાદ, ઈ. સ. ૧૫૫૫માં ભારતમાં ફરી વખત પ્રવેશ મેળવીને શાસન કરવા માંડયું. પરંતુ હુમાયુનું આ શાસન બહુ જ ટૂંકે વખત ચાલ્યું અને ઈ. સ. ૧૫૫૬માં, ફક્ત એક જ વર્ષ રાજ્ય કર્યા બાદ, સીડી પરથી પડવાને કારણે એનું મૃત્યુ થયું અને અકબરે રાજગાદી પર સ્થાન મેળવ્યું. અકબરને સમય - ઈ. સ. ૧૫૪રના એકબરની પંદરમી તારીખે જન્મેલ અકબર રાજગાદી પર આવ્યું ત્યારે એની ઉંમર માંડ ચૌક વર્ષની હતી. આગળ ઉપર એક લેકકલ્યાણકારી, સર્વધર્મ સમભાવી, કુશળ રાજ્યવહીવટ કરનાર પાદશાહ તરીકે નામના મેળવનાર બાદશાહ અકબરે પિતાને બાલ્યકાળ ઈરાનમાં વીતાવ્યું હતું, તેથી ઈરાનના લોકેની સંસ્કારિતા-સભ્યતા તેનામાં પૂરેપૂરી ઊતરી હતી, જે તેના સમગ્ર જીવનમાં જોવા મળે છે. મુગલાઈના આ ત્રીજા પાદશાહ વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે. તેણે રાજ્યની લગામ હાથમાં લેતાં જ ભારતની હિંદુ પ્રજા સાથે સુલતાનેએ જે અન્યાયી અને એમાયે વર્તાવ કર્યો હતે, તે દુર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy