________________
૧૨
કુટુંબ, વંશ અને પૂર્વજો નબળાઈ એમના અંતરને જાણે આજે ડંખી રહી અને પેલા હરણ બચ્ચાની માતા હરિણુને દયા ચહેરે એમના મનચક્ષુ સમક્ષ ક્યાંય સુધી છવાઈ રહ્યો. એક તરફથી એમનું મન કહેતું હતું કે, મૃગયા એ તે રજપૂતેને ધર્મ, અધિકાર અને ખેલ છે, એટલે તેમાં મેં કશું જ ખોટું કર્યું નથી. બીજી તરફથી એમને અંતરાત્મા કહેતે હતું કે, “તે નિર્દોષ મૂંગી બિચારી હરિણીના જીવને મેં આજે ખૂબ દુઃખ પહોંચાડ્યું છે.”
વિચારની આવી તંદ્રાભરી અવસ્થામાં એમણે કેટલેક પંથ કાપી નાંખે. પણ સવારના ઘેરથી નીકળેલા એમને, બપોરના ધૂમ તડકામાં, પાણીની તૃષા લાગી. એવામાં વૃક્ષને શીળે છાંયે જતાં ત્યાં વૃક્ષ તળે ઊભા રહીને એમણે ચારે બાજુ નજર કરી, તે નજીકમાં જ એક સાધુને, પિતાના શિષ્યવૃંદ સાથે બેઠેલા જોયા. પાણી મળવાની આશાએ તેઓ સાધુ પાસે ગયા અને પાણી પીને પિતાની તૃષા છિપાવી. સાધુ પુરુષે સ્વાભાવિક પૂછપરછ કરતાં એમણે જણાવ્યું કે, પિતે મૃગયા ખેલવા નીકળ્યા હતા હતા અને આજે પોતાને આ એક જ હરણનું બચ્ચું મળ્યું હતું.
ત્યારે સાધુપુરુષે, સાવ સહજ ભાવે, પ્રાણીઓના રક્ષણ કરવાના ક્ષત્રિયના ધર્મની યાદ અપાવીને એમને કઈ પણ જીવને નહીં દુભવવાને ઉપદેશ આપે અને પિતાના હૃદયને જે સાચે, યોગ્ય માર્ગ જણાય તે પ્રમાણે વર્તવાનું કહ્યું. હજુ ઘડીવાર પહેલાં જ પિતાના દિલમાં જે મને મંથન પમે અનુભવ્યું હતું તેને લીધે આ ઉપદેશની તરત જ એમને અસર થઈ અને સાધુપુરુષને, જીવમાત્રનું રક્ષણ કરવાને ઉપદેશ એમની રગેરગમાં વ્યાપી ગયે. ત્યાર પછી તે એ સાધુપુરુષનું પદ્મ ખૂબ સન્માન કર્યું અને તેમની પાસેથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – એ પાંચ વ્રતવાળા જેન શાસનને સ્વીકાર કર્યો. ત્યાર પછી પદ્મના વંશજો પણ આ અહિંસાધર્મને વળગી રહ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org