SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કથા મુજબ પળવને કારના 2 કુટુંબ, વંશ અને પૂર્વજો એટલે રણ–ટાપુના રહેવાસી રક્ષકે. ઐતિહાસિક રીતે જોઈએ તે, પ્રાચીન સમયમાં કચ્છ, ઉત્તર ગુજરાત વગેરે પ્રદેશમાં જેની ખૂબ જાહોજલાલી હતી. કાળના સકંજામાં અમુક સમયે રાજ્યશાસન શિથિલ થતાં જૈન પ્રજા આસપાસના પ્રદેશમાં વિખરાઈ ગઈ. સિંધની સરહદ તરફથી આવતા કેટલાક શ્રાવકેએ કચ્છના રણમાં જ્યાં જ્યાં લીલેરી જોવા મળી ત્યાં ત્યાં વસવાટ શરૂ કર્યો. અને આ રીતે રણના ટાપુઓમાં વસતી જૈન પ્રજા ઓસવાળ તરીકે એઆઈ. બીજી એક કથા મુજબ ભગવાન મહાવીર સ્વામી પછી ડાક સમય બાદ જ થઈ ગયેલ રાજા ઉપળદેવને શ્રી રત્નપ્રભસૂરિના શિષ્ય જૈનધર્મ ઉધ્યો અને રાજાની સાથેસાથે નગરના ત્રણ લાખ રાશી હજાર રજપૂતોએ પણ આ ધર્મ સ્વીકાર્યો. આ સમયે એસવંશની સ્થાપના થઈ. ચામુંડાદેવીને સમ્યકત્વી બનાવી સવંશની કુળદેવી તરીકે સ્થાપવામાં આવી અને ત્યારથી તે “ઓસીયાદેવી' કે સચીઆઈજી દેવી”ના નામે ઓળખાય છે. ઓસવાલ ભૂપાલ? ઓસવાળ' શબ્દની ઉત્પત્તિની આ કથાઓ અને હકીકતેને બાજુએ રાખીને એક કેમ તરીકે તેમનું નિરીક્ષણ કરીશું તે તેમની રહેણીકરણી અને આવડતમાં રાજકીયપણું રહેલું જોવા મળે છે. એ સવાલ ભૂપાલ” એ સામાન્ય ઉક્તિ પણ તેમની નસમાં વહેતા આ રાજતેજને ચરિતાર્થ કરે છે. અને આ રાજકીયતાને કારણે તેમનામાં જે આવડત પેદા થઈ છે તેને ઉપયોગ કરીને તેઓ લગ- . ભગ દરેક યુગમાં આદર્શ મહાજનનું સ્થાન ભોગવતા આવ્યા છે. સાથે સાથે સામ, દામ, ભેદ અને દંડની રીતિ સફળતાપૂર્વક અખત્યાર કરીને તેઓ સમાજમાં પણ ભાભર્યું સ્થાન જાળવી શક્યા છે. ક્ષત્રિય રાજવંશમાંથી ઉતરી આવ્યા હોવાને કારણે ક્ષાત્રતેજ, ઓસવાળ હોવાને કારણે રાજતેજ અને મહાજનપણું તેમ જ વણિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy