SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી બહાર આવ્યા. ક્ષત્રિય રાજવંશમાંથી જૈનધર્મને યોગ્ય રીતે ફેલાવે કરનાર અનેક વ્યક્તિએ યુગેયુગે મળી આવી છે. જૈન પરંપરા પ્રમાણે બધા તીર્થકરેના સમયમાં અનેક ક્ષત્રિય રાજાઓ જૈનધર્મ પાળતા હતા. અને ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના ધર્મશાસનમાં અનેક ક્ષત્રિય રાજવીરે સામેલ થયા હતા, એ વાત તે ઈતિહાસકારોએ પણ માન્ય રાખી છે. વળી આ ક્ષત્રિામાંથી જેઓ વ્યાપાર કરવા લાગ્યા તે વૈશ્ય, વણિક કે વાણિયા તરીકે ઓળખાયા. શ્રેષ્ઠી શ્રી શાંતિદાસના પૂર્વજો પણ ક્ષત્રિય રાજવંશના હતા. સમય જતાં તેમણે જૈનધર્મ પાળે અને વ્યાપાર વગેરેથી પિતાની જાહોજલાલી સાધી અને આજીવિકા ચલાવી એટલે તેઓ વણિક કહેવાયા. શેઠશ્રી શાંતિદાસને વંશ શેઠ શ્રી શાંતિદાસ મારવાડના શુદ્ધ ક્ષત્રિય ગણાતા સીદીઆ રજપૂતના વંશના હતા. આ સીદીઆ વંશના રજપૂતને ઇતિહાસ ખૂબ જવલંત હતે. કેટલાક સીદીઆ રજપૂતેએ જૈનધર્મને સ્વીકાર કર્યો હતે એ હકીકત “ટેડ રાજસ્થાન”, “મેવાડની જાહેરજલાલી”, ભારત રાજ્યમંડળ”, “મહાજનમંડળ” વગેરે પુસ્તકના આધારે પ્રમાણિત થયેલી ગણી શકાય તેવી છે? શ્રી શાંતિદાસ અને તેમના વંશજો ઓસવાળ વણિક તરીકે ઓળખાય છે. મૂળ ક્ષત્રિય રાજવંશમાંથી આવ્યા હોવાને કારણે તેમનામાં થોડેઘણે અંશે ક્ષાત્રતેજ જોવા મળે છે. સાથેસાથે તેઓ એસવાળ વણિક હેવાને કારણે તેમનામાં ઓસવાળ જ્ઞાતિનાં લક્ષણે પણું જોવા મળે જ છે. ‘ઓસવાળ જ્ઞાતિનો ઇતિહાસ ઓસવાળ” શબ્દનો અર્થ જોઈએ તે “સ”એટલે રણને ટાપુ અને “વાળ” એટલે રખેવાળ. આમ ઓસવાળ (કે એ સવાલ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy