SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૯૮ જૈનસંઘને પાલીતાણા રાજય પાસેથી પાલીતાણા તીર્થને રખેપાને ઈ. સ. ૧૮૨ાને બીજે કરાર પ્રાપ્ત થયે હતે. ૩ પિતાના અંગત જીવનમાં પણ ધાર્મિક પ્રવૃત્તિઓને તેમણે સ્થાન આપ્યું હતું. ગુરુવંદન કરવા જવું, વ્યાખ્યાન સાંભળવું, સામાયિક કરવી વગેરે પ્રવૃત્તિઓ તેમના જીવનમાં અંગભૂત બની ગઈ હતી. તેઓ ઉપાશ્રયે જતા ત્યારે ઠાઠમાઠથી જતા અને રસ્તામાં ગરીબોને છૂટથી દાન આપતા તથા સ્વજનેને, વેપારીઓને પણ મળતા. જેમ તેઓ ધાર્મિક પ્રસંગમાં અને ધાર્મિક સ્થળમાં છૂટથી દાન આપતાં, તેમ તેઓએ સમાજને વિકાસ થાય તેવાં કાર્યોમાં પણ છૂટથી દાન આપેલું.૩૪ - અમદાવાદના નગરશેઠ તરીકે અમદાવાદને અને તેની પ્રજાને વિકાસ થાય તે અંગે તેઓએ દીર્ધદષ્ટિપૂર્વક કેટલીક સામાજિક સંસ્થાઓ સ્થાપી હતી, વિકસાવી હતી. “ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીને તેમણે મદદ કરી હતી. તે ઉપરાંત અમદાવાદની કેલેજમાં તેમણે સારી રકમ આપી હતી. અમદાવાદની મ્યુનિસિપાલિટીની સ્થાપનામાં તેમણે સારે ભાગ લીધે હતે. અમદાવાદની પાંજરાપોળના વહીવટમાં પણ તેમણે ઘણું કામ કર્યું હતું. તે સમયે એક ગુજરાતી-અંગ્રેજી કન્યાશાળાને સ્થાપવામાં અને વિકસાવવામાં તેમને ફાળે નેધપાત્ર હતા.૩૫ ધાર્મિક કાર્યો, સામાજિક કાર્યોમાં સક્રિય જીવન વિતાવનાર નગરશેઠ હેમાભાઈ, પિતાના કુટુંબમાં પણ વડીલ તરીકેની ફરજો એટલી જ કુશળતાથી અદા કરતા હતા. કુટુંબમાં વેપાર-ધંધાના વિકાસના કારણે તેમને ત્યા લક્ષ્મીને વાસ પૂરત હતે. કુટુંબમાં આવક અને કામની વહેચણી બબર થાય તથા સંપ જળવાય તે માટે તેઓ સદા એક જાગૃત વડીલ તરીકે ધ્યાન આપતા. સં. ૧૯૧૪ ના મહા સુદ ૧૧ના રોજ ૭૩ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસ પામ્યા તેના છ માસ પહેલાં તેમણે અગમચેતી વાપરીને કુટુંબમાં સર્વને મજિયારું વહેચીને ધંધા અને મિલકતની સંતેષકારક વ્યવસ્થા કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy