SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ નગરશેઠ શાંતિદાસ ઝવેરી આપી હતી, જેથી પાછળથી કોઈ પ્રકારને વિખવાદ ન થાય. ૩૬ ખૂબ ઓછી વ્યક્તિમાં આવાં વિવિધ ગુણેને સમન્વય થયેલો જોઈ શકાય છે. દાનવીર નગરશેઠ શ્રી પ્રેમાભાઈ નગરશેઠ શ્રી હેમાભાઈના બે પુત્રો નગીનદાસ અને પ્રેમાભાઈ માંથી પ્રેમાભાઈ “પિતા કરતાં સવાયા” કહી શકાય એવા પ્રતિભા સંપન્ન હતાં. સં. ૧૮૭૧ના કારતક માસમાં (ઈ. સ. ૧૮૧૫માં તેમને જન્મ થયે હતે. વ્યવહારકુશળ એવા પ્રેમાભાઈ નાનપણથી જ વિદ્યાપ્રેમી હતા. અંગ્રેજીના તેઓ સારા અભ્યાસી હતા.. અનુભવી અને પ્રતિભાસંપ પિતાના હાથ નીચે તેઓ વ્યાવહારિક રીતે ખૂબ ઘડાયા હતા. પિતાના કુટુંબની પરંપરા પ્રમાણે તેઓના હાથે પણ અનેક ધાર્મિક સત્કાર્યો થયાં હતાં. પાલીતાણામાં ગિરિરાજ શત્રુજ્ય ઉપર પાંચ લાખ રૂપિયાના ખર્ચે તેમણે “શેઠ પ્રેમાભાઈની ટૂક” બંધાવી હતી અને પાલીતાણા ગામમાં ધર્મશાળા બંધાવી હતી. અમદાવાદમાં ઝવેરીવાડામાં તેમણે રૂ. ૪૦,૦૦૦ના ખર્ચે ઈ. સ. ૧૮૪લ્માં મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું હતું,૩૯ અમદાવાદ, પાલીતાણા વગેરે જગ્યાએ પાંજરાપોળ બંધાવવામાં ઘણી આર્થિક સહાય કરી. હતી. કેસરિયા અને પંચતીથીને મેટો સંઘ કાઢીને ઘણું જૈનેને ચાત્રાએ લઈ ગયા હતા.૪૦ નરોડા, સરખેજ, બરવાળા, ગુંદી, માતર અને ઉમરાળા – આ છ સ્થળોએ ધર્મશાળાઓ બ ધાવવા માટે તેમણે તે કાળે ૨૩,૦૦૦) રૂપિયા આપ્યા હતા. ગરીબેને અવારનવાર છૂપી સહાય કરતા ગરશેઠ શ્રી પ્રેમાભાઈ એ સં. ૧૯૧૭ના દુકાળ વખતે દુષ્કાળ સહાયક ફંડમાં ૨૦,૦૦૦) રૂપિયાની મદદ કરી હતી.૪૨ ધાર્મિક અને માનવતાલક્ષી સખાવતેની સાથે સાથે સામાજિક અને વિદ્યાકીય સખાવતેમાં પણ તેમણે આપેલાં દાની રકમે ઘણી વિશાળ છે તેને ખ્યાલ નીચેની વિગતે ઉપરથી આવશે. ઈ. સ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy