________________
૧૯૪
નગરશેઠ શાંતિદાસ ઝવેરી વર્ષે રૂ. ૧૦૦૦ રોકડા આપવાને લગતાં ફરમાને પણ તેમને મળેલ હતાં. આ જ રીતે પેશ્વા સરકાર તરફથી પણ તેમને આ માન મળતું અને વર્ષાસન પણ મળતું હતું. ઈ. સ. ૧૮૨૭માં કંપની સરકારે સદર અદાલતમાં નગરશેઠ વખતચંદને જિલ્લા કોર્ટમાં ખુરશીને હક્ક આપેલ. - સં. ૧૮૭૦ના ફાગણ વદ ચોથના દિવસે મૃત્યુ પામેલા નગર શેઠ વખતચંદના જીવનના અનેક પ્રસંગેની માહિતી આપણને “વખત. ચંદ શેઠને રાસ” એ કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. હીરવિજયસૂરિની શિષ્ય પરંપરામાં થઈ ગયેલ ક્ષેમવર્ધન દ્વારા રચાયેલ આ રાસ સં. ૧૮૭૦ના અષાઢ સુદ ૧૩ના દિવસે પૂરે થયેલ છે. એટલે કે નગરશેઠ વખતચંદના મૃત્યુ પછી તરત જ તેની રચના થયેલી છે, તેની અહીંયાં આપણે સહર્ષ નોંધ લઈએ.૨૩
આ રાસમાં અને અન્યત્ર મળતાં ઉલેખે પ્રમાણે નગરશેઠ વખતચંદે પિતાના પૂર્વજોએ ખેડેલ વેપારને સાચવીને તેને ખૂબ વિકસાવેલ. દેશ પરદેશમાં તેમને બહળે વેપાર ફૂલ્યોફાલ્ય હતે. અંગાળા અને ઢાકાથી તેઓ વજનમાં હલકાં અને કિંમતમાં ભારે કાપડ મંગાવીને તેને વેપાર કરતા. તેમની હૂંડી સૂરત, મુંબઈ, પૂના, દિલહી, જયપુર, નાગોર, આગ્રા, મેડતા, ચિતડ, કોટા, બુંદી વગેરે ભારતના મુખ્ય મુખ્ય શહેરમાં લખાતી અને સ્વીકારાતી હતી. વહાણ માગે તેમને કરિયાણાને વેપાર ચાલતે. મુંબઈમાં તેમણે પિતાની શરાફી પેઢી ખેલી હતી. તેમની ધીરધાર પણ ઘણી મોટી હેવાના ઉલ્લેખ મળે છે. તેમના પૂર્વજોની જેમ રાજસત્તાને નાણાં ધીરવાના પ્રસંગે વખતચંદ શેઠના જીવનમાં પણ સેંધાયેલ છે. ૨૪
. બહોળા વેપારને કારણે ધનને જે અવિરત કહી શકાય તેવો પ્રવાહ આ નગરશેઠ કુટુંબમાં આવતા તેને ધર્મકાર્યો અને અનેક સુકૃતમાં ઉપયોગ કરવાનું પણ તેઓ ચૂકતા નહીં. અમદાવાદના ઝવેરીવાડામાં તેમણે શ્રી અજિતનાથનું, વીર પ્રભુનું, શ્રી સંભવનાથનું એમ અનેક દેરાસરે બંધાવ્યાં હતાં. સં. ૧૮૬૪માં તેમણે સંઘપતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org