SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ધર્મકાર્યો કરાવ્યાને લગતા, નગરશેઠ વખતચંદના જીવનના અનેક પ્રસંગેને ઉલેખ આપણને પ્રાપ્ત થાય છે. સાત પુત્ર અને એક પુત્રી ધરાવતા નગરશેઠ વખતચંદે પિતાના પ્રત્યેક સંતાનના દરેક લગ્નપ્રસંગને ખૂબ ધામધૂમથી ઉજવે હતે. કુટુંબમાં જેમ તેઓ ઘરના મોભ સમાન હતા અને કૌટુંબિક ફરજ બજાવતા હતા તેમ અમદાવાદ શહેરની પ્રજા માટે પણ સામા જિક દષ્ટિએ મોભ સમાન ગણી શકાય તેવા નગરશેઠપદે રહીને તેઓ નગરશેઠ તરીકેની ફરજો બજાવવામાં સદા તત્પર હતા. પ્રજાના પ્રશ્નનેને રાજક્તઓ સમક્ષ રજૂ કરવાનું કાર્ય તેઓ અચૂક કરતા. આ એક પ્રજાને પ્રશ્ન હતે મિલકતના વારસાને લગતે. મરાઠા સરકાર તરફથી પિતાની મિલકતના વારસા અંગે કનડગત થતી હેવાથી અમદાવાદના શહેરીજને, નગરશેઠ વખતચંદની આગેવાની નીચે ગાયકવાડી સવારી સાથે અમદાવાદ આવેલ ગંગાધર શાસ્ત્રી પાસે ઈ. સ. ૧૮૦૮માં અરજી કરવા ગયા હતા તે પ્રસંગ તેમની આવી કાર્યનિષ્ઠા સૂચવે છે. આ અરજના પરિણામ સ્વરૂપે મરાઠા સરકાર તરફથી એ હુકમ બહાર પાડવામાં આવ્યું કે જે વ્યક્તિને છોકરો કે છે કરીને છેક હોય તે, તે વ્યક્તિના મૃત્યુ પછી મિલકતને વારસદાર થાય અને જે છોકરીને છોકરે ન હોય તે તેની કરી મિલકતની વારસ થાય. આ નિયમના પાલનમાં કેઈએ હરકત ન કરવા અંગેનો શિલાલેખ અમદાવાદના પ્રસિદ્ધ ત્રણ દરવાજા પર પૂર્વાભિમુખ મૂકવામાં આવેલ તેમ શ્રી રત્નમણિરાવ ભીમરાવ નેંધે છે. ૨૦ - રાજકર્તાઓ તરફથી નગરશેઠ વખતચંદને સદા ય માન મળતું. શેવિંદરાવ, માનાજીરાવ, સયાજીરાવ અને આનંદરાવ ગાયકવાડ તરફ થી નગરશેઠ વખતચંદને આબદાગીરી (છત્ર), મશાલ અને પાલખી રાખવાને હક આપવામાં આવેલ. આ હક અંગે તથા આબદાગીરી અને મશાલ માટે બે વ્યક્તિઓને રૂા. આઠ અને પાલખી માટે દર ૧૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy